અમદાવાદ મેટ્રો ટ્રેનના ટાઈમ ટેબલમાં થયો ફેરફાર, મુસાફરોના હિતમાં કરાયો મહત્વનો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-17 13:04:15

અમદાવાદીઓ હવે મોટી સંખ્યામાં મેટ્રોમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. અમદાવાદ મેટ્રો ટ્રેન આ રીતે શહેરની લાઈફલાઈન બની છે. અમદાવાદ મેટ્રોમાં અપડાઉન કરતા નોકરિયાતો તથા અન્ય મુસાફરો માટે મહત્વના સમાચાર આવ્યા છે. અમદાવાદીઓની સુવિધા માટે મેટ્રો ટ્રેનના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમયના ફેરફારને કારણે મુસાફરોને વધુ લાભ થશે.


સમયપત્રકમાં ફેરફાર થયો


અમદાવાદ મેટ્રો ઓથોરિટીએ મેટ્રો ટ્રેનના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. હાલમાં મેટ્રો સવારે 9 વાગ્યે શરૂ થતી હતી, તો હવે મેટ્રો ટ્રેન સવારે 7 કલાકથી રાત્રીના 10 ક્લાક સુધી ચાલશે. આ નવા સમયપત્રકનો અમલ 30 જાન્યુઆરીથી થશે. આ મહત્વના નિર્ણયથી નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને ધંધાદારી વર્ગને શહેરના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવામાં વધુ સરળતા રહેશે.


PM મોદીએ કર્યું હતું ઉદઘાટન


PM મોદીએ થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું ગત વર્ષે 30 સપ્ટેમ્બર 2022ના રોજ  ઉદ્ઘાટન કર્યું હતું ત્યાર બાદ મેટ્રો રેલમાં મુસાફરી કરનારની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધા પર જનારા લોકો માટે મેટ્રો ટ્રેન ખૂબ જ સુવિધાજનક છે, તો બીજી તરફ આ અંતર્ગત વિદ્યાર્થીઓ અને નોકરીયાતોએ ગુજરાત મેટ્રો રેલ કંપનીને ટ્રેનનો સમયગાળો ઘટાડવાનો અને ફ્રીકવન્સી ઘટાડવા માટે રજૂઆત કરી હતી.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.