અમદાવાદ મેટ્રો ટ્રેનના ટાઈમ ટેબલમાં થયો ફેરફાર, મુસાફરોના હિતમાં કરાયો મહત્વનો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-17 13:04:15

અમદાવાદીઓ હવે મોટી સંખ્યામાં મેટ્રોમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. અમદાવાદ મેટ્રો ટ્રેન આ રીતે શહેરની લાઈફલાઈન બની છે. અમદાવાદ મેટ્રોમાં અપડાઉન કરતા નોકરિયાતો તથા અન્ય મુસાફરો માટે મહત્વના સમાચાર આવ્યા છે. અમદાવાદીઓની સુવિધા માટે મેટ્રો ટ્રેનના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમયના ફેરફારને કારણે મુસાફરોને વધુ લાભ થશે.


સમયપત્રકમાં ફેરફાર થયો


અમદાવાદ મેટ્રો ઓથોરિટીએ મેટ્રો ટ્રેનના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. હાલમાં મેટ્રો સવારે 9 વાગ્યે શરૂ થતી હતી, તો હવે મેટ્રો ટ્રેન સવારે 7 કલાકથી રાત્રીના 10 ક્લાક સુધી ચાલશે. આ નવા સમયપત્રકનો અમલ 30 જાન્યુઆરીથી થશે. આ મહત્વના નિર્ણયથી નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને ધંધાદારી વર્ગને શહેરના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવામાં વધુ સરળતા રહેશે.


PM મોદીએ કર્યું હતું ઉદઘાટન


PM મોદીએ થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું ગત વર્ષે 30 સપ્ટેમ્બર 2022ના રોજ  ઉદ્ઘાટન કર્યું હતું ત્યાર બાદ મેટ્રો રેલમાં મુસાફરી કરનારની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધા પર જનારા લોકો માટે મેટ્રો ટ્રેન ખૂબ જ સુવિધાજનક છે, તો બીજી તરફ આ અંતર્ગત વિદ્યાર્થીઓ અને નોકરીયાતોએ ગુજરાત મેટ્રો રેલ કંપનીને ટ્રેનનો સમયગાળો ઘટાડવાનો અને ફ્રીકવન્સી ઘટાડવા માટે રજૂઆત કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.