Ahmedabad: ક્ષત્રિય સમાજની બેઠક, પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દની માગ પર ક્ષત્રિય સમાજ અડગ તો ભાજપ પણ પોતાની વાત પર મક્કમ!


  • Published By :
  • Published Date : 2024-04-18 15:05:37

રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા છેલ્લા દિવસોથી થઈ રહી છે... પરષોત્તમ રૂપાલા સામેનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, ભાજપ ટસનું મસ થવા તૈયાર નથી તો ક્ષત્રિયો પણ પોતાની માગ અને મુદ્દા પર અડગ દેખાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા. ત્યારે આવતી કાલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મહાસંમેલન યોજાવાનું છે.  


આજે ઘડાશે આંદોલનને લઈ રણનીતિ 

ગુજરાતમાં એક તરફ લોકસભા ચૂંટણીનો જંગ જામી રહ્યો છે તો બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકની ચર્ચાઓ થઈ રહી છે. પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા માગ કરવામાં આવી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય. ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો અને આ વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી.. આવતી કાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બપોરે ત્રણ વાગ્યે રાજપૂત સંકલન સમિતિ અમદાવાદના ગોતા ખાતે પોતાની આગામી રણનીતિ ઘડવાની છે, ત્રણ વાગ્યે યોજાનારી આ બેઠકમાં ક્ષત્રિય સમાજ આરપારની જંગ માટે આક્રમક રણનીતિ ઘડી શકે 

છે.

અમદાવાદ પોલીસકમિશનરે બહાર પાડ્યું છે જાહેરનામું

રાજકોટના રતનપરમાં જે રીતે એલાન થયું હતુ કે રૂપાલા જો ફોર્મ પરત નથી લેતા તો આંદોલનનો પાર્ટ 2 યોજાશે અને અમદાવાદનું જીએમડીસી ભરી દેવામાં આવશે, એ જ દિશામાં રણનીતિ ઘડવાની તૈયારીઓ થઈ રહી છે, જો કે અમદાવાદના પોલીસ કમિશનરએ જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કોઈને પણ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.



અમદાવાદમાં આંદોલન કરવાની મળશે પરવાનગી?

એકબાજુ ક્ષત્રિય સમાજ શાંતિપુર્વક આંદોલનના વિવિધ રસ્તા શોધી રહ્યો છે, રાજકીય પક્ષો આક્રમક રીતે પોતાના ઝંડા સતત લહેરાવે છે, પણ વિરોધ દર્શાવવો હોય તો કાળા વાવટા ફરકાવવા પર અમદાવાદમાં પ્રતિબંધ છે, એવા સંજોગોમાં અમદાવાદમાં આંદોલન માટે પરવાનગી મળે એવી સંભાવનાઓ નહિવત લાગી રહી છે, અને જો પરવાનગી મળે છે તો કેટલી સંખ્યામાં  ક્ષત્રિય સમાજના લોકો ભેગા થઈને શક્તિપ્રદર્શન કરી શકે છે એ જોવાનું રહેશે. 



આજની રણનીતિ પર રહેલો છે આધાર 

રાજકોટના રતનપરમાં મળેલા સંમેલનના દ્રશ્યોએ આખા દેશમાં ચર્ચા જગાવી હતી, આ મુદ્દો હવે દેશના અલગ અલગ હિસ્સાઓ પર પ્રભાવ પાડી રહ્યો છે એવા સંજોગોમાં ક્ષત્રિય સમાજની આગળની રણનીતિ પર બધો આધાર રહેવાનો છે. આંદોલન એવા મુકામ પર પહોંચ્યું છે જ્યાંથી પાછા વળવું કોઈ માટે સરળ નથી રહ્યું. ત્યારે આંદોલનમાં વચ્ચેનો રસ્તો જે પહેલેથી હતો જ નહીં એની સંભાવનાઓ પણ સાવ ઘટી ગઈ છે. બંને બાજુ રાજહઠ છે, કોણ ઝુકે છે અને સામે વાળાને કેવી રીતે ઝુકાવે છે એ દ્રશ્ય 4થી જૂને ખબર પડશે.  



Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.

એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.