Ahmedabad Kalorex school : વીડિયો બનાવનાર વિરૂદ્ધ લેવાશે દંડાત્મક કાર્યવાહી, જાણો પોલીસે શું કરી કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-10-06 15:39:47

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર અમદાવાદમાં આવેલી ઘાટલોડિયા સ્કૂલનો વીડિયો વાયરલ થયો હતો. તેમાં વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા. આ વીડિયો સામે આવતા લોકો, વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ શાળામાં પહોંચી શિક્ષકને માર માર્યો હતો. ત્યારે આ આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. પોલીસ દ્વારા શાળા ઓથોરિટી આ મામલે કેસ કરે તે માટે કહેવામાં આવ્યું આ બધા વચ્ચે જે કર્મચારીએ આ વીડિયો બનાવી અપલોડ કર્યો હતો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. 

હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ શિક્ષકને માર્યો હતો માર 

અમદાવાદની કોલોરેક્સ સ્કૂલનો એક વીડિયો સેશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં બાળકોને નમાઝ અદા કરાવવામાં આવી રહી હતી.વીડિયો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હિંદુ સંગઠનોના અનેક કાર્યકર્તાઓએ કાયદો પોતાના હાથમાં લીધો હતો. શિક્ષકને મારતો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ ઘટનામાં પોલીસ ફરિયાદ સ્કૂલ દ્વારા કરવામાં આવે તે માટે પોલીસે સ્કૂલ ઓથોરિટીને આગળ આવવા આહ્વાન કર્યું હતું.. 



વીડિયો બનાવનાર વિરૂદ્ધ થશે કાર્યવાહી 

જો આ મામલે કોઈ ફરિયાદ નથી નોંધવામાં આવતી તો પોલીસ પોતે આ કેસમાં ફરિયાદી બનશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી. ત્યારે આજે આ મામલે નવી અપડેટ આવી છે. સ્કૂલના કર્મીઓ સાથે શિક્ષાત્મક પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે. આ વીડિયો જેણે પણ બનાવ્યો છે તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત આ મામલે તપાસ કરવા માટે સમિતીની પણ રચના કરવામાં આવી છે. અને આ સમિતી દ્વારા તપાસ પણ શરૂ થઈ ગઈ છે. 3 એજ્યુકેશન ઈન્સપેક્ટર આ સમિતીમાં સામેલ છે. 


ટીમ દ્વારા કરવામાં આવી પ્રાથમિક તપાસ  

મહત્વનું છે કે આ વીડિયોની જાણ ડીઈઓને થતાં સમગ્ર મામલો શું છે તેની જાણકારી મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  ડીઈઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં નોંધવામાં આવ્યું હતું કે સ્કૂલનો એવો કોઈ ઈરાદો ન હતો, મહત્વનું છે કે આચાર્ય દ્વારા માફી પણ માગવામાં આવી હતી. ત્યારે હવે જે વ્યક્તિએ વીડિયો બનાવ્યો છે તેમના વિરૂદ્ધ દંડાત્મક પગલા લેવામાં આવશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.