Ahmedabad Kalorex school : વીડિયો બનાવનાર વિરૂદ્ધ લેવાશે દંડાત્મક કાર્યવાહી, જાણો પોલીસે શું કરી કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-10-06 15:39:47

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર અમદાવાદમાં આવેલી ઘાટલોડિયા સ્કૂલનો વીડિયો વાયરલ થયો હતો. તેમાં વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા. આ વીડિયો સામે આવતા લોકો, વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ શાળામાં પહોંચી શિક્ષકને માર માર્યો હતો. ત્યારે આ આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. પોલીસ દ્વારા શાળા ઓથોરિટી આ મામલે કેસ કરે તે માટે કહેવામાં આવ્યું આ બધા વચ્ચે જે કર્મચારીએ આ વીડિયો બનાવી અપલોડ કર્યો હતો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. 

હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ શિક્ષકને માર્યો હતો માર 

અમદાવાદની કોલોરેક્સ સ્કૂલનો એક વીડિયો સેશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં બાળકોને નમાઝ અદા કરાવવામાં આવી રહી હતી.વીડિયો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હિંદુ સંગઠનોના અનેક કાર્યકર્તાઓએ કાયદો પોતાના હાથમાં લીધો હતો. શિક્ષકને મારતો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ ઘટનામાં પોલીસ ફરિયાદ સ્કૂલ દ્વારા કરવામાં આવે તે માટે પોલીસે સ્કૂલ ઓથોરિટીને આગળ આવવા આહ્વાન કર્યું હતું.. 



વીડિયો બનાવનાર વિરૂદ્ધ થશે કાર્યવાહી 

જો આ મામલે કોઈ ફરિયાદ નથી નોંધવામાં આવતી તો પોલીસ પોતે આ કેસમાં ફરિયાદી બનશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી. ત્યારે આજે આ મામલે નવી અપડેટ આવી છે. સ્કૂલના કર્મીઓ સાથે શિક્ષાત્મક પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે. આ વીડિયો જેણે પણ બનાવ્યો છે તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત આ મામલે તપાસ કરવા માટે સમિતીની પણ રચના કરવામાં આવી છે. અને આ સમિતી દ્વારા તપાસ પણ શરૂ થઈ ગઈ છે. 3 એજ્યુકેશન ઈન્સપેક્ટર આ સમિતીમાં સામેલ છે. 


ટીમ દ્વારા કરવામાં આવી પ્રાથમિક તપાસ  

મહત્વનું છે કે આ વીડિયોની જાણ ડીઈઓને થતાં સમગ્ર મામલો શું છે તેની જાણકારી મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  ડીઈઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં નોંધવામાં આવ્યું હતું કે સ્કૂલનો એવો કોઈ ઈરાદો ન હતો, મહત્વનું છે કે આચાર્ય દ્વારા માફી પણ માગવામાં આવી હતી. ત્યારે હવે જે વ્યક્તિએ વીડિયો બનાવ્યો છે તેમના વિરૂદ્ધ દંડાત્મક પગલા લેવામાં આવશે.  



થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .