Ahmedabad Kalorex school : શિક્ષકને મારવા વાળા લોકો વિરૂદ્ધ થશે પોલીસ ફરિયાદ! જાણો સૂત્રો પાસેથી શું મળી છે માહિતી?


  • Published By :
  • Published Date : 2023-10-05 14:34:09

સોશિયલ મીડિયા પર અમદાવાદની શાળાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં વિદ્યાર્થીઓ નમાઝ અદા કરી રહ્યા હતા. અમદાવાદના ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલનો વીડિયો સામે આવતા હડકંપ મચી ગયો હતો. વીડિયો વાયરલ થયા બાદ એબીવીપી તેમજ વિવિધ હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ શાળાએ પહોંચી ગયા હતા અને શિક્ષકને માર માર્યો હતો. ત્યારે સૂત્રો પાસેથી એવી માહિતી સામે આવી છે કે જે લોકોએ શિક્ષકોને માર માર્યો હતો તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવશે. આ મામલે એવી પણ માહિતી સામે આવી છે કે અમદાવાદ પોલીસ પોતે આમાં ફરિયાદી બનશે. સ્કૂલ ઓથોરિટી આગળ આવીને આ મામલે કેસ કરાવે તે માટે પોલીસે પ્રયાસ કર્યા છે તેવી પણ વાત સામે આવી છે. 


શિક્ષકને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ માર્યો હતો માર 


શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ શાળામાં નમાજ પઢાવવ્યાનો વીડિયો થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયો તે બાદ તે ચર્ચાનો વિષય બન્યો છે. હિંદુ સંગઠનોએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. શાળાએ પહોંચીને શિક્ષકોને પણ હિંદુ સંગઠનોએ માર્યા હતા. વાલીઓ તેમજ હિંદુ સંગઠનના કાર્યકરોએ શાળામાં વિરોધ કર્યો હતો. શિક્ષકને માર પણ મારવામાં આવ્યો. મામલો વધારે વધતા શાળાના પ્રિન્સિપલે માફી માગી હતી. તે બાદ જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં પણ સામે આવ્યું હતું કે ઈદ સેલિબ્રેશન કરાવવા પાછળ શાળા સંચાલકનો ખરાબ ઉદ્દેશ્ય ન હતો.



આ મામલે જો સ્કૂલ ફરિયાદ નહીં કરે તો પોલીસ બનશે ફરિયાદી!

આ મામલે સૂત્રો પાસેથી એક માહિતી સામે આવી છે કે આ મામલે પોલીસ પોતે ફરિયાદી બનશે. પોલીસે સ્કૂલની ઓથોરિટીને જે લોકોએ મારપીટ કરી હતી તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી વાત પોલીસે કહી હતી. જો કાલ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નહીં કરે તો પોલીસ પોતે ફરિયાદી બનશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આ વીડિયો સામે આવતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.  



શું હતો સમગ્ર મામલો?


કેલોરેક્સ સ્કૂલમાં એક કાર્યક્રમ દરમિયાન ઇદના દિવસે વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવવામાં આવી હતી અને તેનો વીડિયો સ્કૂલે પહેલા પોતાના સોશિયલ મીડિયા પેજ પર ચડાવ્યો હતો બાદમાં ઉતારી લીધો હતો. જોકે એ સમયગાળા દરમિયાન આ વીડિયો વાયરલ થઇ ગયો હતો. જેને લઇને આજે સ્કૂલમાં હિન્દુ સંગઠનો વિરોધ કરવા પહોંચ્યા હતા.વિવાદને વકરતો જોઇને સ્કૂલ દ્વારા માફી માગવામાં આવી હતી. બીજી તરફ એબીવીપી દ્વારા સ્કૂલના પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. વીએચપીના આગેવાનો દ્વારા સ્કૂલ સામે પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ કેલોરેક્સ સ્કૂલને નોટિસ ફટકારી છે અને નમાઝ પઢાવવા બાબતે તત્કાલ સ્વરૂપે જવાબ રજૂ કરવા નિર્દેશ કરવામાં આવ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.