Ahmedabad : તકતીમાં નામ ન મળતા Jamalpurના ધારાસભ્ય Imran Khedawala રિસાયા, તકતી પર મારી દીધો કાળો સ્પ્રે! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-10 08:44:42

Shakespeareએ બહુ પહેલા એક વાક્ય કહ્યું હતું કે નામ મેં ક્યા રખા હેં... પોતાના નામનું ઘર હોય, ઘરની બહાર પોતાના નામની નેમ પ્લેટ હોય વગેરે વગેરે.... કોઈ નામ ખોટી રીતે બોલે તો પણ અનેક લોકો ગુસ્સે થઈ જતા હોય છે.સારા કામોમાં પોતાનું નામ આવે તે સામાન્ય રીતે અનેક માણસો ઈચ્છતા હોય છે. અને એમાં પણ કોઈ રાજકારણી હોય તો તો કહેવું જ શું.? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અમદાવાદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં તકતી પર નામ ન હોવાને કારણે કોંગ્રેસના ધારાસભ્ય રોષે ભરાઈ ગયા. તકતીમાં પોતાનું નામ ન હોવાનો તેમણે વિરોધ કર્યો અને પાછળથી તકતીમાં તેમનું નામ ઉમેરવામાં આવે તેવી વાત કહી. 

તકતી પર નામ ન હતું એટલે ધારાસભ્યને આવ્યો ગુસ્સો

સામાન્ય રીતે નેતાઓને તખ્તી પર પોતાનું નામ લખવાનો હરખ હોય છે. જ્યારે કોઈ જગ્યાનું કે કોઈ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવતું હોય છે ત્યારે તકતી પર નામ લખવામાં આવતું હોય છે. તકતી પર તેમનું નામ ના લખાય તો તેમને ગુસ્સો પણ આવી જતો હોય છે. આવું જ કંઈક થયું અમદાવાદમાં કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યનું નામ તકતીમાં નહોતું તો તેમને ગુસ્સો આવી ગયો. 


તકતી પર કાળો સ્પ્રે મારી ધારાસભ્યએ નોંધાવ્યો વિરોધ 

વાત એમ બની કે, અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હિમોડાયાલિસિસ સેન્ટરનું મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના હોદ્દેદારો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે સ્થાનિક જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાના કારણે તેઓએ ઉદ્ઘાટન તકતી ઉપર કાળો સ્પ્રે મારી વિરોધ દર્શાવ્યો હતો. ધારાસભ્યના આકરા વિરોધને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર એક કલાકમાં જ તાત્કાલિક ધોરણે તકતીને બદલી નાખવામાં આવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.