Ahmedabad : સિંધુ ભવન પર બની Hit And Runની ઘટના, થાર ગાડીની અડફેટે આવતા 18 વર્ષીય યુવકનું થયું મોત, શું માણસના જીવની કોઈ કિંમત નથી?


  • Published By :
  • Published Date : 2024-03-09 17:56:49

અમદાવાદનો સિંધુ ભવન વિસ્તાર જાણે નબીરાઓનો અડ્ડો બની ગયો હોય તેવું લાગે છે. આ રસ્તાને નબીરાઓ પોતાના બાપનો રસ્તો સમજીને બેઠા હોય તેવી રીતે નબીરાઓ બેફામ બનીને વાહન ચલાવતા હોય છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં ઓવર સ્પીડિંગને કારણે અકસ્માત થતો હોય છે અને લોકોના મોત થતા હોય છે. વધુ એક અકસ્માત સિંધુ ભવન રોડ પર સર્જાયો છે જેમાં થાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો છે. અને અડફેટે આવેલા યુવકનું મોત થઈ ગયું છે. 

News18 Gujarati

ક્યાં સુધી નબીરાઓની ગાડી નીચે કચડાતા રહેશે નિર્દોષ લોકો? 

અકસ્માત આ શબ્દ જાણે સામાન્ય થઈ ગયો છે. પ્રતિદિન અકસ્માતની ઘટના બને છે અને કોઈને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. ઘણા કિસ્સાઓમાં તો એવું પણ જોવા મળ્યું છે કે નિદોર્ષ વ્યક્તિનું મોત કોઈ બીજાની ભૂલને કારણે થઈ જતું હોય છે. અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યા છે આ વાક્ય અનેક વખત કહેતા હોઈએ છીએ અને વાત સાચી પણ છે કારણ કે બેફામ બનેલા નબીરાઓ અકસ્માત સર્જે છે અને કોઈ પરિવાર પોતાનું સદસ્ય ગુમાવે છે. થોડા સમય પહેલા અમદાવાદમાં તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માતમાં 9 જેટલા નિર્દોષ લોકો કચડાયા હતા અને આજે ફરી એક વખત અમદાવાદના સિંધુ ભવનમાં અકસ્માત સર્જાયો છે જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. 

News18 Gujarati

થાર ગાડી સાથે યુવકની ટક્કર થઈ અને થઈ ગયું યુવકનું મોત!

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે યુવકનું મોત થયું છે તે માત્ર 18 વર્ષનો હતો.. થારની અડફેટે આવતા જયદીપ સોંલકી નામનો યુવક ગંભીર રીતે ઈજાગસ્ત થયો અને તે મોતને ભેટ્યો. સિંધુ ભવન રોડ જાણે બાઈક., કાર માટે રેસિંગ પોઈન્ટ બની ગયો હોય તેવું લાગે છે. કલર કરવા, રોફ જમાવવા માટે અનેક વખત સ્ટંટ બાજી કરતા હોય છે, ઓવરસ્પીડિંગમાં વાહન ચલાવતા હોય છે અને આ પ્રકારના અકસ્માત સર્જાતા હોય છે. જે વ્યક્તિનું મોત આ ઘટનામાં થયું છે તે પોતાના મિત્ર સાથે નિકળ્યો હતો અને કાળનો કોળિયો બની ગયો. થાર ગાડી સાથે જ્યારે યુવકની ટક્કર થઈ ત્યારે તે હવામાં ફંગોળાયો હતો તેવી માહિતી સામે આવી છે. ગંભીર રીતે યુવક ઘાયલ થયો હતો અને તેનું મોત થઈ ગયું છે. આ ઘટના શુક્રવાર રાત્રે બની છે તેવી માહિતી સામે આવી છે. અકસ્માત થયા બાદ ગાડી મૂકીને ચાલક ફરાર થઈ ગયો છે. 

  News18 Gujarati

આવા નબીરાઓ વિરૂદ્ધ પોલીસ ક્યારે લેશે એક્શન?  

આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ અહીંયા પ્રશ્ન પોલીસની કામગીરી પર પણ થાય કારણ કે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે.. લોકોના સુરક્ષાની જવાબદારી પોલીસના શીરે છે. સ્ટંટ કરતા અનેક લોકો વિરૂદ્ધ પોલીસ એક્શન લે છે પરંતુ આવા બેફામ બનેલા નબીરાઓ વિરૂદ્ધ ક્યારે કોઈ એક્શન લેવાશે? ક્યાં સુધી રસ્તાને બાપનો બગીચા સમજીને વાહન ચલાવતા લોકો કોઈને કચડીને જતા રહેશે? ક્યાં સુધી કોઈ મા બાપ આવા નબીરાને કારણે પોતાના દીકરાને ગુમાવશે?  



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.