અમદાવાદ હવે બન્યું બ્રિજ સિટી , 165 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 12:54:58

અમદાવાદમાં બ્રિજ ડેવલોપમેન્ટનું કામ એકદમ પુરજોરથી ચાલી રહ્યું છે. શહેરમાં SG હાઈવે અને SP રીંગરોડ પર સૌથી વધુ બ્રિજ બન્યાં છે. ત્યારે શહેરમાં વધુ એક ઓવરબ્રિજ બનાવવાની વિચારણા શરૂ કરાઈ છે. અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં ગુજરાતનો સૌથી લાંબો ઓવેરબ્રિજ બનવા જઈ રહ્યો છે . 165 કરોડના ખર્ચે તૈયાર થનારા આ ઓવરબ્રિજ માટે રાજ્ય સરકાર અને AMC દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે.


કેટલા ખર્ચે તૈયાર થશે બ્રિજ ???


નરોડા પાટિયાથી દરરોજ 1.5થી લગભગ 2 લાખ વાહનો અહીથી પસાર થતાં હશે. અગાઉ છેલ્લા ઘણા વર્ષોથી મનપાના બજેટમાં નરોડા પાટિયા બ્રિજનું કામ કેરી ફોરવર્ડ થઇ રહ્યું હતું. પરંતુ આખરે તે ખુશીનો  દિવસ આવી ગયો.આધુનિક ડિઝાઈન સાથે આ બ્રિજ 165 કરોડના ખર્ચે નરોડા પાટીયા જંક્શનથી નરોડા ગેલેક્ક્ષી ક્રોસ રોડ સુધી બનશે. કુલ 3 કિ.મી લાંબા બ્રિજથી અમદાવાદના લોકો સીધા જ હિંમતનગર અથવા રાજસ્થાન તરફ જઈ શકશે. બ્રિજ ઉપર ચડવા અને ઉતરવા માટે એક્ઝીટ પણ આપવામાં આવશે. 


ટ્રાફિકથી મળશે છુટકારો !!!!


બ્રિજ બનવાથી લગભગ 2 કલાકનો સમય બચી જશે. શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે પૂર્વ વિસ્તારમાં નરોડામાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા છે કેમ કે ત્યાં થી ચીલોડ અને રાજસ્થાન જવા વાળા વાહનો પસાર થતાં હોય છે ત્યારે જો આ સૌથી લાંબો બ્રિજ બની જાયતો ટ્રાફિકની સમસ્યા એકદમ ઓછી થઈ જશે 



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.