Ahmedabad : Flower Showનો આજથી થયો પ્રારંભ, અનેક પ્રતિકૃતિઓ બની આકર્ષણનું કેન્દ્ર, જુઓ સુંદર તસવીરો


  • Published By :
  • Published Date : 2023-12-30 11:53:28

પ્રકૃતિમાં વિવિધ પ્રકારની સુંદરતા રહેલી છે. ક્યાંક ઝરણા વહે છે તો ક્યાંક ફૂલો આપણી આંખોને ઠંડક પહોંચાડે છે. પ્રકૃતિ સાથે જેટલા જોડાયેલા રહીશું તેટલા આપણે એક્ટિવ રહીશું તેવું સામાન્ય રીતે માનવામાં આવે છે. ફૂલોનું આપણા જીવનમાં ઘણું મહત્વ રહેલું હોય છે. આસપાસના વાતાવરણને મહકેવામાં ફૂલ મહત્વની ભૂમિકા ભજવે છે. અનેક લોકોને ઘરમાં ફૂલો વાવવાનો શોખ હોય છે. ફૂલના પણ અનેક પ્રેમિઓ હોય છે. ત્યારે ફૂલ પ્રેમીઓને ગમે તેવો શો એટલે કે ફ્લાવર શોનો શુભારંભ અમદાવાદમાં આજથી થઈ ગયો છે.     

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ફ્લાવર શોનું ઉદ્ધાટન 

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવર શોનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રીએ ફ્લાવર શોને લોકો માટે ખુલ્લો મૂક્યો છે. દર વખતે આ શોને લઈ ફૂલો પ્રેમીઓમાં ઉત્સાહ હોય છે ત્યારે આ વર્ષે અલગ અલગ પ્રતિકૃતિઓ ફૂલોમાંથી બનાવવામાં આવી છે. જે પ્રતિકૃતિઓની વાત કરવામાં આવી રહી છે. ફ્લાવર શોમાં આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ રાખવામાં આવી છે. આજથી શરૂ થયેલો ફ્લાવર શો 15 જાન્યુઆરી સુધી ચાલશે. જેમા સવારે 9થી રાત્રે 10 સુધી પ્રવેશ આપવામાં આવશે. તે ઉપરાંત 33 સ્ક્લપચર દ્વારા ગુજરાતની અસ્મિતાની ઝાંખી જોવા મળશે.     

 અમદાવાદમાં યોજનર આ ફ્લાવર શોમાં પહેલીવાર 15 લાખથી વધુ ફૂલ છોડ શહેરીજનોને જોવા મળશે. (તસવીર: પ્રણવ પટેલ)

 રિવર ફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોમાં આવતાં લોકો માટે સામાન્ય દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી 50 રૂપિયા લેવામાં આ‌વશે. જ્યારે શનિવાર અને રવિવારના દિવસે ફ્લાવર શોમાં રૂ. 75 ફી પેટે વસૂલવામાં આ‌વશે. આ ફ્લાવર શોમાં 12 વર્ષથી નાના બાળકોને મફતમાં પ્રવેશ આપવામાં આવશે. (તસવીર: પ્રણવ પટેલ)

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલે આ અંગે જણાવ્યુ છે કે, અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શો શેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ, વિક્રમ લેન્ડર (ચંદ્રયાન 3)ની પ્રતિકૃતિ જેવા આગવા આકર્ષણો જોવા મળશે. (તસવીર: પ્રણવ પટેલ)


કેટલો છે ફ્લાવર શોની ટિકિટનો દર?

અમદાવાદ ફ્લાવર શોના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર સુધી વ્યક્તિ દીઠ રૂ.50ની ફી અને વીક એન્ડના દિવસો શનિ અને રવિવાર માટે વ્યક્તિદીઠ રૂ.75ની ફી નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષ કરતાં ટિકિટનો ભાવ લગભગ ડબલ રાખવામાં આવ્યો છે. જોકે, 12 વર્ષ સુધીના બાળકો તેમજ સરકારી, મ્યુનિસિપલ અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે ફ્લાવર શોની મુલાકાત નિઃશુલ્ક રહેશે. આ વખતે ફ્લાવર શો જોવા માટે આવનારા મુલાકાતીઓ માટે મિલેટ્સ આધારીત નાસ્તાના વધુ ફુડ સ્ટોલ પણ લગાવવામાં આવશે. મુલાકાતીઓને નાસ્તાની સુવિધા મળી રહે તે માટે ફુડ કોર્ટ અને સ્ટોલની વ્યવસ્થા કરાશે અને તેમાં મિલેટ્સ આધારિત નાસ્તાની સામગ્રીઓ મુકવામાં આવશે. ફ્લાવર શોની જેમ બુક ફોરમાં પણ મિલેટ્સ આધારિત વાનગીઓ ફુડ કોર્ટમાં જોવા મળશે. 

 અમદાવાદમાં યોજનર આ ફ્લાવર શોમાં પહેલીવાર 15 લાખથી વધુ ફૂલ છોડ શહેરીજનોને જોવા મળશે. (તસવીર: પ્રણવ પટેલ)

 આ ફ્લાવર શોમાં સેવંતી, વીમ્કા, ગજેનીયા, કોલિયસ, તોરણિયા, અર્ચીડ, જલબેરા, લીલીયસ, મારીગોલ્ડ, એન્થુરીનીયમ, એમરેન્સ લીલી જેવા આશરે 15 લાખ વધુ ફૂલછોડ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. (તસવીર: પ્રણવ પટેલ)

ફ્લાવર શોનું શું છે મુખ્ય આકર્ષણ?


આ વર્ષે ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર સરદાર પટેલનું સ્ટેચ્યુ છે. પહેલી વખત ફ્લાવર શોમાં 6 મીટર સરદાર પટેલનું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શોમાં  કાર્ટુન કેરેક્ટર, નવું સંસદ ભવન, સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન, વડનગરના કીર્તિ તોરણ સહિત 33 સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં GSLV MK 3 રોકેટનું સ્કલ્પચર મુખ્ય છે. ફ્લાવર શોમાં 800 કરતા વધુ પ્રકારના ફુલ- છોડ તથા લેન્ડસ્કેપિંગ કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં વાયબ્રન્ટ સમીટનું આયોજન કરવામાં આવ્યું હોવાથી વિદેશી અગ્રણીઓ પણ AMCના ફ્લાવર શોની મુલાકાતે આવે તેવી શક્યતાને ધ્યાનમાં લઈને આગામી ફ્લાવર શો શ્રેષ્ઠ અને ઈન્ટરનેશનલ કક્ષાનો બનાવાશે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!