Ahmedabad - ખ્યાતી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2એ જીવ ગુમાવ્યા જ્યારે અનેક લોકોની હાલત ગંભીર


  • Published By :
  • Published Date : 2024-11-12 13:13:07

હોસ્પિટલમાં જ્યારે કોઈ દર્દી જાય છે ત્યારે તે સાજા થવાની ઈચ્છા સાથે જાય છે.. પરંતુ અનેક કિસ્સાઓમાં એવું થાય છે કે હોસ્પિટલ વાળાની બેદરકારીને કારણે તેમનો જીવ ગુમાવો પડતો હોય છે.. ત્યારે એવો જ કિસ્સો અમદાવાદની ખ્યાતી હોસ્પિટલથી સામે  આવ્યો છે... કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ યોજ્યો હતો અને પરિવારજનનની જાણ કર્યા વગર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી તેવી વાત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે.. પરિવારની જાણ બહાર 19 એન્જિયોગ્રાફી, 7 એન્જિયોપ્લાસ્ટી કરી નાખતા 2 દર્દીના મોત અને 7 લોકો હાલ ICUમાં દાખલ કરવામાં આવ્યા છે... 

શું કહેવું છે ગામના સરપંચનું?

આ ઘટના થયા બાદ પરિવારજનોનો આક્રોશ ચરમસીમા પર પહોંચ્યો છે... ઘટનાને પગલે ગ્રામજનો વહેલી સવારથી હોસ્પિટલ પહોંચી ગયા છે અને અનેક લોકો ત્યાં તોડફોડ પણ કરી હતી.. ગામના સરપંચનું કહેવું છે કે આ હોસ્પિટલે એવા જ લોકોને બોલાવ્યા હતા જેમની પાસે આયુષ્માન કાર્ડ હોય .... સરકારી યોજનાના નામ પર હોસ્પિટલ ફ્રોડ કરે છે તેવી વાત તેમણે કહી... આ અંગે ઋષિકેશ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે.. 



સ્ટોરી અપડેટ થઈ રહી છે....



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે