લેભાગુ ભુવાની વાતોમાં આવી અમદાવાદના એક પરિવારે 32 લાખ ગુમાવ્યા, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-11 21:28:35

આજના આધુનિક જમાનામાં પણ લોકો અંધશ્રધ્ધામાં લેભાગુ ભુવાઓની વાતોમાં આવી જઈને પોતાનું સઘળું ગુમાવી દેતા હોય છે. ભુવાએ મેલી વિદ્યા અને મુઠ ઉતારવાના નામે એક પરિવાર પાસેથી 32 લાખ રૂપિયા પડાવ્યાનો મામલો સામે આવ્યો છે. આ મામલે ગાંધીનગરના માણસા તાલુકાના અનોડીયા ગામના 3 શખ્સ સામે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


સમગ્ર મામલો શું છે?


અમદાવાદના નિકોલ ખાતે રહેતા અને સિલાઈ મશીન નું કામકાજ કરતા પૂનમબેન બાબુભાઈ ચૌહાણ તથા તેમનો પરિવાર આર્થિક સંકડામણ ભોગવતો હતો. આ સંકડામણથી દુર કરવા માટે પૂનમબેનએ ગાંધીનગરના માણસા તાલુકાના અનોડીયા ગામે આવકાર ધામ નામનો આશ્રમ ચલાવી ભુવાનું કામકાજ કરતા ભુવા રાઠોડ દલપતસિંહનો સંપર્ક કર્યો હતો. આર્થિક સંકડામણ પાછળ કોઇએ મુઠ મારી હશે તેવી તેમને શંકા હતી. આ શંકા દુર કરવા અને મુઠ ઉતારવા પુનમબેન અનોડીયા ભુવાના આશ્રમે ગયા હતા. ભુવાએ પુનમબેનને કહ્યું હતું કે, તમારા મોટાભાઈના ભાગીદારે તેમના પર મુઠ મારી છે અને તેમનું નવ દિવસમાં મૃત્યુ થશે. જો મુઠ પાછી વળાવવી હોય તો 90 હજાર રૂપિયા ખર્ચ થશે. જેથી ડરના માર્યા આ પરિવારે બીજા દિવસે 90 હજાર રૂપિયા આપી આ ભુવા પાસે વિધિ કરાવી હતી. પૈસા આસાનીથી મળી જતા ભુવાએ પુનમબેનને ફોન કરી આશ્રમ પર બોલાવ્યા હતા અને તે વખતે ફરીથી ડર બતાવ્યો હતો કે તમારા નાના ભાઈ પર પણ મુઠ મારવામાં આવી છે એવું કહી ફરીથી બીજા 90 હજાર રૂપિયા લઈ વિધી કરી આપી હતી. આ રીતે ભૂવાએ છેલ્લા પાંચ વર્ષમાં ટુકડે ટુકડે 32 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. 


ભુવાજી સામે નોંધાઈ ફરિયાદ


પૂનમબેનના પરિવારને પાંચ વર્ષ પછી પણ કોઈ ભુવાની વિધીથી કોઈ ફાયદો થયેલો જણાતો નહોંતો. આખરે પોતાની મહેનતના પૈસા ગુમાવનારા પૂનમબેનના પરિવારે ભુવા પાસેથી રૂપિયા પરત માગતા આ પાખંડી ભુવો તથા તેના બે પુત્રોએ તેમની સાથે ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોતે છેતરાયા હોવાનું જણાતા અંતે પૂનમબેન ચૌહાણએ ભુવાજી દલપતસિંહ, હરપાલસિંહ અને જયપાલસિંહ સામે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.