Vadodara દુર્ઘટના બાદ અમદાવાદ DEOએ શાળાને આપ્યા આદેશ! જો પરવાનગી વગર પ્રવાસનું આયોજન કરાયું તો...., જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-01-27 13:15:00

થોડા દિવસ પહેલા વડોદરાના હરણી લેકમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બોટ પલટી જવાને કારણે નાના ભૂલકાઓ અને શિક્ષકો મૃત્યુને ભેટ્યા હતા. અનેક ભૂલકાઓના જીવ ગયા બાદ તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્ટિવ મોડમાં આવ્યા છે. પ્રવાસ અંગે લાપરવાહી નહીં ચલાવવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. બાળકોને પ્રવાસ લઈ જતા પહેલા જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી ફરજિયાત લેવી પડશે તેવો આદેશ આપવામાં આવ્યો છે.

વડોદરા બોટ દુર્ઘટના, આ મામલે એફઆઈઆર માં 18 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે  - Vadodara Boat Tragedy FIR registered against 18 people what charges laid


વડોદરા દુર્ઘટના બાદ એક્શન મોડમાં દેખાયું શિક્ષણ વિભાગ! 

શાળામાંથી બાળકોને પીકનીક લઈ જવામાં આવે છે. ફરવા માટેનો ઉત્સાહ બાળકોમાં હોય છે. પરંતુ અનેક વખત બહાર ગયેલા બાળકો ઘરે પાછા નથી આવતા, દુર્ઘટનાનો શિકાર થઈ જાય છે. તાજેતરમાં બનેલી ઘટના આનું પ્રત્યક્ષ ઉદાહરમ છે. પીકનીક માટે ગયેલા બાળકો નિશ્ચેતન થઈને ઘરે આવ્યા હતા. આ દુર્ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ દુર્ઘટનાને લઈ તપાસનો ધમધમાટ ચાલી રહી રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આગામી દિવસોમાં આવી દુર્ઘટના ટળી શકે તે માટે કાર્યો કરવામાં આવી રહ્યા છે.

Vadodara: Paresh Shah was arrested in the Vadodara boat accident | Vadodara:  વડોદરા બોટ દુર્ઘટના મામલે SITને મળી મોટી સફળતા, મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો

પ્રવાસ પર લઈ જતા પહેલા પરવાનગી લેવી કરાઈ ફરજિયાત! 

વડોદરા દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે પીકનીક પર લઈ જતા પહેલા પરવાનગી લેવી પડશે. શાળા બાળકોના પ્રવાસનું આયોજન કરે તોતે  પહેલા જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી ફરજિયાત લેવી પડશે. અને જો મંજૂરી વગર પ્રવાસનું આયોજન કરવામાં આવશે તો શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી છે. કોઈ પણ લાપરવાહી નહીં ચલાવી લેવામાં આવે તેવી વાત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે. 


દુર્ઘટનામાંથી નથી લેતા બોધપાઠ!

તંત્ર સફાળું જાગ્યું છે તે વાત સારી છે પરંતુ અચાનક જાગેલું તંત્ર ગમે ત્યારે સૂઈ જાય છે. દુર્ઘટના સર્જાય તેના થોડા દિવસો સુધી આવી કાર્યવાહી, આવા આદેશો કરવામાં આવે છે, આગામી દિવસોમાં આવી દુર્ઘટના ન સર્જાય તેવું ધ્યાન રાખીશું જેવી વાતો કરવામાં આવે છે પરંતુ આવી કાર્યવાહી થોડા દિવસો બાદ બંધ થઈ જતી હોય છે. થોડા દિવસો બાદ આવી દુર્ઘટના લોકો પણ ભૂલી જતા હોય છે અને પછી તંત્ર પણ ભૂલી જાય છે...! 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!