Ahmedabad DEOએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, આવતાની સાથે જ શિક્ષકોને જમા કરાવી પડશે આ વસ્તુ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-03 14:51:01

શિક્ષણ વિભાગ ઘણા સમયથી એવા નિર્ણયો લઈ રહ્યું છે તે બિરદાવવા જેવું છે. સ્કૂલોમાં ભણાવતા શિક્ષકો અનેક વખત ચાલુ ક્લાસમાં મોબાઈલ ફોન વાપરતા દેખાય છે. છોકરાનોને જે કરવું હોય તે કરે, પરંતુ તે તો પોતાની મસ્તીમાં એટલે કે મોબાઈલમાં જ ઘૂસેલા દેખાતા હોય છે. ત્યારે અમદાવાદ DEO દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રિસેસ સિવાય મોબાઈલ ફોન ન વાપરવા અંગે આદેશ કરવામાં આવ્યો છે. આ મામલે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.   

શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકો નહીં કરી શકે મોબાઈલનો ઉપયોગ 

મોબાઈલના ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. યુવાનો તો ઠીક પરંતુ નાના બાળકો પણ મોબાઈલના આધીન જોવા મળી રહ્યા છે. જો જમતી વખતે તેમને મોબાઈલ ન મળે તો તે જમતા નથી. જોબ કરતા અનેક લોકો એવા હોય છે જે વર્કિંગ અવર્સ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા દેખાય છે. મોબાઈલનો ઉપયોગ કરી ટાઈમ પાસ કરવામાં આવતો હોય છે. કામના કલાકો દરમિયાન શિક્ષકો પણ મોબાઈલ વાપરતા દેખાય છે. એવા અનેક વીડિયો સામે આવતા હોય છે આ વાતને સાચી સાબિત કરે છે. પરંતુ જો તમે અમદાવાદની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવો છો તો તમે ચાલુ શૈક્ષણિક સમય દરમિયાન મોબાઈલ ફોન નહીં વાપરી શકો. 



શાળામાં પ્રવેશતાની સાથે પ્રિન્સિપલને જમા કરાવવો પડશે ફોન 

અમદાવાદના ડીઈઓ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં નિર્દેશ કરવામાં આવ્યો છે કે જ્યારે શિક્ષક શાળામાં પ્રવેશ કરશે, ત્યારે તેમને પોતાનો ફોન જમા કરાવવો પડશે. સ્કૂલના પ્રિન્સિપલને ફોન આપવાનો રહેશે.જ્યારે રિસેસ ટાઈમ હશે ત્યારે જ તેઓ ફોન વાપરી શકશે. શૈક્ષણિક કાર્ય દરમિયાન જો કોઈ શિક્ષક મોબાઈલનો ઉપયોગ કરતા પકડાશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.   




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!