Ahmedabad DEOએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, આવતાની સાથે જ શિક્ષકોને જમા કરાવી પડશે આ વસ્તુ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-03 14:51:01

શિક્ષણ વિભાગ ઘણા સમયથી એવા નિર્ણયો લઈ રહ્યું છે તે બિરદાવવા જેવું છે. સ્કૂલોમાં ભણાવતા શિક્ષકો અનેક વખત ચાલુ ક્લાસમાં મોબાઈલ ફોન વાપરતા દેખાય છે. છોકરાનોને જે કરવું હોય તે કરે, પરંતુ તે તો પોતાની મસ્તીમાં એટલે કે મોબાઈલમાં જ ઘૂસેલા દેખાતા હોય છે. ત્યારે અમદાવાદ DEO દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રિસેસ સિવાય મોબાઈલ ફોન ન વાપરવા અંગે આદેશ કરવામાં આવ્યો છે. આ મામલે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.   

શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકો નહીં કરી શકે મોબાઈલનો ઉપયોગ 

મોબાઈલના ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. યુવાનો તો ઠીક પરંતુ નાના બાળકો પણ મોબાઈલના આધીન જોવા મળી રહ્યા છે. જો જમતી વખતે તેમને મોબાઈલ ન મળે તો તે જમતા નથી. જોબ કરતા અનેક લોકો એવા હોય છે જે વર્કિંગ અવર્સ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા દેખાય છે. મોબાઈલનો ઉપયોગ કરી ટાઈમ પાસ કરવામાં આવતો હોય છે. કામના કલાકો દરમિયાન શિક્ષકો પણ મોબાઈલ વાપરતા દેખાય છે. એવા અનેક વીડિયો સામે આવતા હોય છે આ વાતને સાચી સાબિત કરે છે. પરંતુ જો તમે અમદાવાદની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવો છો તો તમે ચાલુ શૈક્ષણિક સમય દરમિયાન મોબાઈલ ફોન નહીં વાપરી શકો. 



શાળામાં પ્રવેશતાની સાથે પ્રિન્સિપલને જમા કરાવવો પડશે ફોન 

અમદાવાદના ડીઈઓ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં નિર્દેશ કરવામાં આવ્યો છે કે જ્યારે શિક્ષક શાળામાં પ્રવેશ કરશે, ત્યારે તેમને પોતાનો ફોન જમા કરાવવો પડશે. સ્કૂલના પ્રિન્સિપલને ફોન આપવાનો રહેશે.જ્યારે રિસેસ ટાઈમ હશે ત્યારે જ તેઓ ફોન વાપરી શકશે. શૈક્ષણિક કાર્ય દરમિયાન જો કોઈ શિક્ષક મોબાઈલનો ઉપયોગ કરતા પકડાશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.