જિજ્ઞેશ મેવાણીને કોર્ટે ફટકારી 6 મહિનાની સજા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 17:52:44

અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને 6 મહિનાની સજા ફટકારી છે. 2016માં બનેલી ઘટનાનો ચૂકાદો આપતા કોર્ટે જિજ્ઞેશ મેવાણી, સુબોધ પરમાર, રાકેશ મહેરીયા સહિત 19 લોકોને 6 મહિનાની સજા કરી છે. 

કેમ કરવામાં આવી સજા?

ગુજરાત યુનિવર્સિટી ખાતે બની રહેલા કાયદા ભવનને બાબા સાહેબ આંબેડકર નામ આપવાની માગ સાથે જિજ્ઞેશ મેવાણીએ ઉગ્ર આંદોલન કર્યું હતું. વિજય ચાર રસ્તા પર રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું. રસ્તો બંધ થવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રોડને લાંબા સમય સુધી બંધ રખાતા પોલીસે જિજ્ઞેશ મેવાણી સહીત 19 લોકોની અટકાયત કરી હતી અને કેસ ચલાયો હતો. ત્યારે કોર્ટનો ચુકાદો આવતા જિજ્ઞેશ મેવાણીએ લખ્યું કે आंदोलनकारियों को सज़ा और बलात्कारियों को रिहाई.   



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.