અમદાવાદઃ વાડજના ભરવાડવાસમાં લાગ્યા ભાજપ વિરોધી પોસ્ટર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 16:27:35

માલધારી સમાજે દૂધ નહીં વેચવાની જાહેરાત કરી છે તેની વચ્ચે અમદાવાદના વાડજ ગામના ભરવાડ વાસમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. માલધારી સમાજે પોસ્ટર લગાવી ભાજપના કોઈ પણ વ્યક્તિને ગામમાં નહીં પ્રવેશવા માટે લખાણ લખ્યું છે. ગુજરાત સરકારે ઢોર નિયંત્રણ કાયદો પણ પરત લીધો છે તેની વચ્ચે માલધારી સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. 


ગુજરાતભરમાં માલધારી સમાજનો વિરોધ 

ગુજરાત સરકારે ઢોર નિયંત્રણ વિધેયક લાગ્યા હતા તે સામે ગુજરાતમાં માલધારી સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. સરકારે કાયદો તો પરત લઈ લીધો પરંતુ માલધારી સમાજનું માનવું છે કે હજુ અમારી એક જ માગણી સ્વીકારવામાં આવી છે. તેમનું કહેવું છે કે સરકાર જ્યાં સુધી અમારી તમામ માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના અનેક વિસ્તારોમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.