Ahmedabad : BRTS રૂટમાં ઘૂસેલી ગાડીએ સર્જ્યો અકસ્માત, ઓવરસ્પીડમાં આવેલી ગાડીએ રેલિંગ તોડી, જાનહાની ટળી


  • Published By :
  • Published Date : 2023-11-11 11:59:33

અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતના સ્વજનોને ગુમાવ્યા છે. પ્રતિવર્ષ અકસ્માતની સંખ્યા વધતી જઈ રહી છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો છે તેમાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ અકસ્માત લોકોને વિચાર કરી દે તેવો છે. બીઆરટીએસ રૂટમાં અનેક વાહનો ઘૂસી જતા હોય છે અને અકસ્માત સર્જાતો હોય છે. અમદાવાદમાં મોડી રાત્રે બોપલ વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે જેમાં બીઆરટીએસ રૂટની રેલિંહ તોડી કાર ઘૂસી ગઈ હતી. અકસ્માત થતાં વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. ફરાર કારચાલકને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

 અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં ધનતેરસની મોડી રાતે એક અકસ્માત સર્જાયો છે. બોપલમાં એક કાળા રંગની કારે BRTS રૂટની રેલિંગ પર કાર ધુસાડી દીધી હતી. જે બાદ ચાલક પોતાની મોંઘીદાટ કાર મુકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઇને જાનહાની થયાના સમાચાર હજી સુધી નથી મળ્યા. બોપલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 આ અંગે મળતી માહિતી પ્રમાણે, વાહનોની પૂરપાટ ઝડપથી ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલા બીઆરટીએસ રૂટમાંથી એક કાળા રંગની કાર પૂરપાટ ઝડપે જઇ રહી હતી. જેની સ્પીડને કારણે ચાલકે બીઆરટીએસની રેલિંગમાં જ કાર અથડાવી દીધી છે. આ અકસ્માતને કારણે કારના આગળના ભાગના રેલિંગ સાથે અથડાઇને ભુક્કા બોલી ગયા છે. જ્યારે મજબૂત રેલિંગ પણ તૂટી ગઇ છે.

બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી ગઈ મોંઘીઘાટ ગાડી 

રાજ્યના અનેક શહોરોમાં બીઆરટીએસ બસની સુવિધાઓ આપવામાં આવે છે. સીટી બસ ઉપરાંત બીઆરટીએસ બસ પણ રસ્તાઓ પર દોડતી હોય છે જેને કારણે લોકોને અવર-જવરમાં મુશ્કેલી ના પડે. બીઆરટીએસ બસ માટે અલગ રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. બીઆરટીએસ કોરીડોરમાં એ બસ સિવાય અન્ય બીજા કોઈ વાહનને મુખ્યત્વે એન્ટ્રી નથી આપવામાં આવતી. પરંતુ અનેક વખત આ કોરિડોરમાં વાહનો ઘૂસી જતા હોય છે અને દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આવો જ એક અકસ્માત અમદાવાદના બોપલમાં ધનતેરસના દિવસે સર્જાયો છે જેમાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ માલહાની થઈ છે. 

 આ પૂરપાટ ઝડપે દોડીને અકસ્માત સર્જનારી કારનો નંબર HR 72B 4050 છે. જેનાથી જોઇ શકાય છે કે, આ કારનું પાસિંગ અન્ય રાજ્યનું છે.

 આ અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ત્યાં પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ત્યાં આવીને આ કારને જોઇ રહ્યા હતા.

કારના આગળના ભાગનો બોલાઈ ગયો ભૂક્કો 

અમદાવાદના બોપલમાં ધનતેરસની મોડી રાત્રે બીઆરટીએસ કોરિડોરમાં એક મોંઘી ઘાટ ગાડી ઘૂસી ગઈ હતી જેને કારણે અકસ્માત સર્જાયો છે. એક કાળા રંગની કાર બીઆરટીએસ કોરિડોરમાં રેલિંગ સાથે અથડાઈ ગઈ. રેલિંગ સાથે અથડાયા બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોતાની મોંઘી ગાડી છોડીને. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી દુર્ઘટના નથી સર્જાઈ. વાહનોની પૂરપાટ ઝડપથી આવેલી ગાડીએ ફરી એક વખત અકસ્માત સર્જ્યો છે. રેલિંગ સાથે અથડાવાને કારણે કારની આગળના ભાગનો ભુક્કો નિકળી ગયો હતો. અકસ્માત સર્જાતા કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ફરાર કારચાલકને શોધવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.  

 બુધવારે રાતે પણ ઓવર સ્પીડના કારણે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમા બે લોકોના મોત નીપજ્યા હતા. ગોદરા હાઈવે પર કાર અચાનક ઓવર સ્પીડમાં ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બે લોકોના મોત થયા છે. પોલીસે આપેલી માહિતી અનુસાર, મૃતકોની ઓળખ રવિરાજ સિંહ (32) અને દેહરાજ સિંહ (22) તરીકે થઈ છે. જેઓ કારમાં આગળ બેઠેલા હતા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. કારના અન્ય બે મુસાફરોને ઈજાઓ પહોંચી હતી અને તેમને અમદાવાદની સોલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!