અમદાવાદમાં તુટેલા માર્ગો અને ભુવા પુરવા પાછળ AMCએ 14 કરોડનો ખર્ચ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 16:15:57

અમદાવાદમાં ચોમાસાના ચાર મહિનામાં રસ્તાની શું હાલત થઈ તેનાથી શહેરનીજનો સારી રીતે વાકેફ છે. શહેરના લગભગ તમામ રસ્તાઓ પર ખાડા અને  ક્યાંક ક્યાંક  મસમોટા ભૂવા પડ્યા હતા. લોકોને આ ઉબડખાબડ રસ્તાથી હજુ પણ રાહત મળી નથી. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના દાવો છે તંત્રે આ તુટેલા રસ્તાઓના સમારકામ પાછળ 14 કરોડનો ખર્ચો કર્યો છે.


કોન્ટ્રાક્ટરોની મુદ્દત પુરી થતાં AMCએ ખર્ચ કરવો પડ્યો


અમદાવાદમાં વરસાદી પાણીના કારણે 35000 ખાડા અને 96 ભુવા પડ્યા છે. રોડ પરના ખાડા અને ભુવાના સમારકામ પાછળ AMC એ કર્યો 14 કરોડનો માતબર ખર્ચ કર્યો છે. રોડ કમિટી ચેરમેને દાવો કર્યો કે, તૂટેલા રોડ પૈકી મોટાભાગના રોડ 2019ની સાલ પહેલા બનેલા છે. કોન્ટ્રાક્ટરની મુદ્દત ત્રણ વર્ષ હોવાના કારણે રોડના સમારકામનો ખર્ચ AMC એ ઉઠાવવો પડશે. ટોરેન્ટ, BSNL,રિલાયન્સ જેવી કંપનીઓના ખોદકામના કારણે પણ અનેક રોડ ઉપર સમારકામ કરવા જરૂરી બન્યા હોવાનું રોડ કમિટી ચેરમેને કબુલ્યું હતું.



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.