Ahmedabad : Bopalમાં ચાલી રહી હતી દારૂની મહેફિલ, નશાની હાલતમાં કરી દીધું ફાયરિંગ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-27 12:21:17

ગુજરાતમાં દારૂબંધી છે તે વાત કહીએ છીએ ત્યારે તે મજાક લાગે છે. દારૂબંધી કાયદાનું ઉલ્લંઘન થતા, કાયદાના ધજાગરા ઉડતા જોવા મળતા હોય છે. જો એવું કહીએ કે આ કાયદો માત્ર કાગળ પૂરતો સીમિત થઈ ગયો છે તો અતિશયોક્તિ ન થાય, આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યા જે સરકારના દાવાને ખોટા સાબિત કરી રહી છે. અમદાવાદના સાઉથ બોપલમાં ગઈકાલ રાત્રે દારૂની મહેફિલ ચાલી રહી હતી અને તે મહેફિલમાં ફાયરિંગ થઈ છે અને આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયો છે તેવી માહિતી સામે આવી છે. આ કેસમાં આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.          


અમદાવાદના બોપલમાં નશાની હાલતમાં યુવકે કર્યું ફાયરિંગ 

એક તરફ ગાંધીનગરના ગિફ્ટસીટીમાં ગાઈડલાઈન્સ પ્રમાણે દારૂની છૂટ આપવામાં આવી છે તો બીજી બાજુ અનેક દારૂડિયાઓ બેફામ બન્યા છે તેવું લાગે છે. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તે કાયદાનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક લોકો એવા હશે જેમને આ કાયદાથી ડર લાગતો હશે. અનેક લોકોને જોતા લાગે કે આ કાયદાને ઘોળીને પી ગયા છે પરંતુ અનેક બીજા એવા લોકો પણ છે જે આ કાયદાથી ડરે છે. જે લોકો આ કાયદાનું પાલન કરતા હશે તેમની સંખ્યા કદાચ ઓછી હશે અને કાયદા ભંગ કરનારની વધારે હશે. ત્યારે અમદાવાદથી એક ઘટના સામે આવી છે જેમાં દારૂની મહેફિલમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. 


પિસ્તોલમાંથી મળી આવ્યો જીવતો કારતુસ 

આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ અંગેની જાણકારી આપતા પોલીસ ઈન્ચાર્જે જણાવ્યું કે દારૂની મહેફિલ દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. તેણે સ્ટાટર પિસ્તોલથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. લગભગ વધારે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાની શક્યતા છે. હાલમાં અમને 7 ખાલી અને એક જીવતો કારતૂસ મળ્યો છે. એક જીવતો કારતૂસ સ્ટાટર પિસ્તોલમાં હતો. એક યુએસએ મેઇડ પિસ્તોલ મળી આવી છે. મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર નામ પૂરતો સીમિત થઈ ગયો છે.  



ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.