Diwali પહેલા Ahmedabadની હવા પ્રદૂષિત બની! જાણો કયા વિસ્તારની હવા વધારે પ્રદૂષિત છે?


  • Published By :
  • Published Date : 2023-11-03 14:26:02

ગુજરાતમાં પ્રદૂષણની સમસ્યા વિકટ બની રહી છે. દેશના વિવિધ રાજ્યોની આપણે વાત કરીએ છીએ કે ત્યાંની હવા ઝેરી બની છે. પરંતુ અમદાવાદની હવા પણ સતત ઝેરી બની રહી છે. અમદાવાદમાં એર ક્વોલિટીની સમસ્યા ગંભીર બની રહી છે. અમદાવાદ શહેરમાં AQI એટલે કે air quality ઈન્ડેક્સ ૨૦૦ સુધી પહોંચ્યો છે . બુધવારે બપોરે air quality ઈન્ડેક્સ ૨૦૦ સુધી પહોંચ્યો હતો . અમદાવાદમાં ગ્યાસપુર અને રખિયાલ સૌથી પ્રદુષિત રહ્યા હતા. તે ઉપરાંત રખિયાલમાં 165, બોડકદેવમાં 153, ઘુમામાં 152, શાહીબાગમાં 112, મણિનગરમાં 139 એર ક્વોલિટી ઈન્ડેક્સ રહ્યો હતો.

દિલ્હીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી, આ વિસ્તારનું AQI પહોંચ્યું 160ને  પાર – Gujaratmitra Daily Newspaper

અમદાવાદની હવા ઝેરી બની!

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. દિલ્હીની હવા ઝેરી બની રહી છે તેવી વાત આપણે ઘણા સમયથી કરી રહ્યા છીએ. પરંતુ અમદાવાદની હવા પણ ઝેરી બની રહી છે તેની ચર્ચા પણ કરવી પડશે. અમદાવાદ શહેરમાં AQI એટલે કે air quality ઈન્ડેક્સ ૨૦૦ સુધી પહોંચ્યો છે . બુધવારે બપોરે air quality ઈન્ડેક્સ ૨૦૦ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં ગ્યાસપુર અને રખિયાલ સૌથી પ્રદૂષિત રહ્યા હતા. અમદાવાદીઓને શુદ્ધ હવા નથી મળી રહી. ઓક્ટોબરમાં પણ હવા ઝેરી જ હતી. માહિતી અનુસાર એક પણ દિવસ એવો ન હતો જ્યારે અમદાવાદીઓને ઝેરી હવાથી મુક્તિ મળી હોય.   

અમદાવાદની હવા બની પ્રદૂષિત, પાંચ વિસ્તારમાં એર ક્વોલિટી સૌથી ખરાબ | Sandesh

શહેરના અલગ અલગ વિસ્તારોનું એક્યુઆઈ 

તે ઉપરાંત રખિયાલમાં 165, બોડકદેવમાં 153, ઘુમામાં 152, શાહીબાગમાં 112, મણિનગરમાં 139 એર ક્વોલિટી ઈન્ડેક્સ રહ્યો હતો.બીજા વિસ્તારોની વાત કરીએ તો પીરાણાનું એક્યુઆઈ 156 નોંધાયું હતું જ્યારે ચાંદખેડાનું એક્યુઆઈ 107 અને રખિયાલનું એક્યુઆઈ 162 છે. નવરંગપુરામાં વાયુ પ્રદૂષણનો આંક 200 એક્યુઆઈ નોંધાયો હતો. ઉલ્લેખનિય છે કે વધતા પ્રદૂષણ પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. વિકાસના નામ પર આપણે પર્યાયવરણને નુકસાન પહોંચાડીએ છીએ. ઝાડને કાપી નાખીએ છીએ વગેરે વગેરે..  

GPCB Liasioning Services


પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા કરોડો ખર્ચાય છે પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં 

હાલ શિયાળો ચાલી રહ્યો છે. શિયાળાના સમય દરમિયાન લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. જેને શ્વાસ લેવાની તકલીફ હોય તે માટે શિયાળાનો સમય તકલીફ ભરેલો હોય છે. ત્યારે હવે તો અમદાવાદની હવા પણ ધીરે ધીરે ઝેરી બની રહી છે. ત્યારે થોડા સમય બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. તહેવારની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડાને કારણે પણ પ્રદૂષણ વધે છે. હવા ઝેરી બનવાને કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થતી હોય છે.  પ્રદૂષણને અટકાવવા માટે કરોડો ખર્ચવામાં આવે છે પરંતુ તે પૈસાનો પણ ધૂમાડો થઈ જાય છે. પ્રદૂષણ પર અંકુશ લાવવા માટે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં જ છે. પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી આવ્યો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ ન ગણાય.  



પ્રદુષણથી બચવા કેવા ઉપાય કરવા જોઈએ... 

આરોગ્ય પર ખરાબ અસર ન થાય તે માટે અનેક ઉપાયો કરવા જોઈએ.  જેવા કે તડકો નીકળ્યા પછી ચાલવા જાઓ , જો તમારું ધંધા અને નોકરીનું સ્થળ તમારા રહેઠાણથી દૂર હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો ન-૯૫ માસ્કનો ઉપયોગ કરો . જો ઘરમાં નવજાત છે તો એરોસોલવાળા perfume અને રૂમ ફ્રેશનરનો ઉપયોગ ન કરો . તદુપરાંત જયારે પણ ઘરની બહાર નીકળો તો AQI app પર હવાની ચકાસણી કર્યા પછી નીકળો.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!