વહાલસોયાને સફેદ ચાદરમાં લપેટાયેલા જોઈ પરિવારજનોનું હૈયાફાટ રુદન, બોટાદ પંથકમાં ઘેરા શોકનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-07-20 20:42:23

અમદાવાદના ઇસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર બુધવારે મોડી રાત્રે તથ્ય પટેલ નામના નબીરાની જગુઆર કારની અડફેટે આવતા 9 નિર્દોષોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. આ ભયાનક અકસ્માતના હ્રદયદ્રાવક દ્રશ્યો જોઈને રાજ્યમાં લોકો હચમચી ગયા છે. આ ભીષણ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનું મોત થયું છે. તે ઉપરાંત અન્ય યુવકોને ગાડીએ કચડ્યા હતા. અમદાવાદમાં થયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનારા બોટાદના ત્રણ યુવાનમાંથી એક- સુરેન્દ્રનગરના ચાસકા ગામના યુવાનની ડેડબોડી વતન લાવવામાં આવી હતી. જ્યારે અન્ય 2 યુવાનની બોડી બોટાદમાં આવતાં જ સમગ્ર બોટાદ શહેર અને પંથકમાં ઘેરો શોકની લાગણી જોવા મળી હતી.


અંતિમયાત્રામાં જોવા મળ્યા હ્રદયદ્રાવક દ્રશ્યો


અમદાવાદમાં થયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનારા યુવકોના મૃતદેહનું PM કરાવ્યા બાદ બોટાદના ત્રણ યુવાનમાંથી એક- સુરેન્દ્રનગરના ચાસકા ગામના યુવાનની ડેડબોડી વતન લાવવામાં આવી છે. 2 યુવાનની બોડી બોટાદમાં આવતાં જ સમગ્ર બોટાદ શહેર અને પંથકમાં ઘેરો શોક છવાઈ ગયો હતો. કૃણાલ કોડિયાની બોડીને તેના વતન ચાસકા ગામે લઈ જવામાં આવી. યુવાનોની લાશ આવતાની સાથે જ પરિવારોએ રીતસર પોક મુકી હતી. તેમના આક્રંદે વાતાવરણને ગમગીન કરી દીધું હતું. અક્ષરની અંતિમયાત્રા ભાવનગર રોડ પરથી અને રોનકની પાળિયાદ રોડ પરથી અતિંમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં મોતને ભેટેલા 9 લોકોમાં બે યુવક બોટાદના હતા, જેમાં રોનક રાજેશભાઈ વિહલપરા અને કુણાલ નટુભાઈ કોડિયા બંને માસિયાય ભાઈઓ પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.