Ahmedabad : અથાણામાંથી ગરોળી નિકળી, ઠંડા પીણાની બોટલમાંથી નીકળ્યો કાનખજૂરો અને શાકમાંથી નીકળ્યો વંદો...,


  • Published By :
  • Published Date : 2024-06-28 18:53:40

ઘર કરતા બહારનું ખાવાનું આપણને વધારે ભાવે છે, મોકો મળતા જ આપણે બહાર ખાવા જતા રહીએ છીએ.. ચટાકેદાર ખાવાનું મળતા આપણને તેનો સ્વાદ યાદ રહી જાય છે.. પરંતુ છેલ્લા થોડા સમયથી ખાદ્ય પદાર્થમાંથી જીવ જંતુ નિકળી રહ્યા છે તે જોતા લાગે કે હવે જોવાનું શું બાકી રહ્યું? એક જ દિવસમાં એવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં ખાદ્ય પદાર્થમાંથી ગરોળી, કાનખજૂરો અને વંદો નીકળ્યો છે..

News18 Gujarati


 

અથાણામાંથી ગરોળી, સોડામાંથી કાન ખજૂરો અને... 

ખાણી પીણીમાંથી જીવાત નિકળવી જાણે સામાન્ય બાબત થઈ ગઈ છે તેવું લાગે છે. થોડા સમય પહેલા બાલાજીની Crunchex વેફરમાંથી દેડકો નીકળ્યો હતો. સૂપમાંથી ગરોળી નીકળી હતી, તે બાદ ઢોંસાના સંભારમાંથી ઉંદર નીકળ્યો હતો.. આની ચર્ચાઓ હજી શાંત નથી થઈ ત્યારે તો આવા અનેક કિસ્સાઓ સામે આવી ગયા. શાકમાંથી વંદો નીકળ્યો, ગૃહઉદ્યોગમાંથી લાવેલા અથાણામાંથી ગરોળી નીકળી અને ઠંડા પીણાની બોટલમાંથી કાનખજૂરો નીકળ્યો..

News18 Gujarati


અમદાવાદની એક હોટલના શાકમાંથી નિકળ્યો વંદો.. 

કાન ખજૂરાની વાત કરીએ તો સરખેજના પાન પાર્લરમાંથી લીધેલા ઠંડા પીણાની બોટલમાંથી નિકળ્યો. કાનખજૂરો નીકળ્યો તેનો વીડિયો ગ્રાહકે બનાવ્યો અને તે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે સિવાય વંદો પંજાબી શાકમાંથી નિકળ્યો. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત હોટલના શાકમાંથી વંદો નીકળ્યો...શાકમાંથી વંદો નીકળતા ગ્રાહક ચોંકી ગયા. તે સિવાય અથાણામાંથી ગરોળી નીકળી છે. અથાણું એવી વસ્તુ છે જેનો ઉપયોગ આપણે રોજ કરતા હોઈએ છીએ.

News18 Gujarati

ખાણી પીણીની વસ્તુઓમાંથી નિકળે છે જીવ જંતુ 

મહત્વનું છે કે આની પહેલા પણ ખાદ્ય પદાર્થમાંથી જીવાત નિકળવાની ઘટના આપણે જોઈ ચૂક્યા છીએ. જે પ્રમાણે આવી ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા લાગે કે શું ખાવું એ સવાલ થાય છે.. આની પહેલા એક સમાચાર સામે આવ્યા હતા જેમાં આઈસ્ક્રીમમાંથી માણસની આંગળી નિકળી હતી. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.