Ahmedabad : અથાણામાંથી ગરોળી નિકળી, ઠંડા પીણાની બોટલમાંથી નીકળ્યો કાનખજૂરો અને શાકમાંથી નીકળ્યો વંદો...,


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-28 18:53:40

ઘર કરતા બહારનું ખાવાનું આપણને વધારે ભાવે છે, મોકો મળતા જ આપણે બહાર ખાવા જતા રહીએ છીએ.. ચટાકેદાર ખાવાનું મળતા આપણને તેનો સ્વાદ યાદ રહી જાય છે.. પરંતુ છેલ્લા થોડા સમયથી ખાદ્ય પદાર્થમાંથી જીવ જંતુ નિકળી રહ્યા છે તે જોતા લાગે કે હવે જોવાનું શું બાકી રહ્યું? એક જ દિવસમાં એવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં ખાદ્ય પદાર્થમાંથી ગરોળી, કાનખજૂરો અને વંદો નીકળ્યો છે..

News18 Gujarati


 

અથાણામાંથી ગરોળી, સોડામાંથી કાન ખજૂરો અને... 

ખાણી પીણીમાંથી જીવાત નિકળવી જાણે સામાન્ય બાબત થઈ ગઈ છે તેવું લાગે છે. થોડા સમય પહેલા બાલાજીની Crunchex વેફરમાંથી દેડકો નીકળ્યો હતો. સૂપમાંથી ગરોળી નીકળી હતી, તે બાદ ઢોંસાના સંભારમાંથી ઉંદર નીકળ્યો હતો.. આની ચર્ચાઓ હજી શાંત નથી થઈ ત્યારે તો આવા અનેક કિસ્સાઓ સામે આવી ગયા. શાકમાંથી વંદો નીકળ્યો, ગૃહઉદ્યોગમાંથી લાવેલા અથાણામાંથી ગરોળી નીકળી અને ઠંડા પીણાની બોટલમાંથી કાનખજૂરો નીકળ્યો..

News18 Gujarati


અમદાવાદની એક હોટલના શાકમાંથી નિકળ્યો વંદો.. 

કાન ખજૂરાની વાત કરીએ તો સરખેજના પાન પાર્લરમાંથી લીધેલા ઠંડા પીણાની બોટલમાંથી નિકળ્યો. કાનખજૂરો નીકળ્યો તેનો વીડિયો ગ્રાહકે બનાવ્યો અને તે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે સિવાય વંદો પંજાબી શાકમાંથી નિકળ્યો. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત હોટલના શાકમાંથી વંદો નીકળ્યો...શાકમાંથી વંદો નીકળતા ગ્રાહક ચોંકી ગયા. તે સિવાય અથાણામાંથી ગરોળી નીકળી છે. અથાણું એવી વસ્તુ છે જેનો ઉપયોગ આપણે રોજ કરતા હોઈએ છીએ.

News18 Gujarati

ખાણી પીણીની વસ્તુઓમાંથી નિકળે છે જીવ જંતુ 

મહત્વનું છે કે આની પહેલા પણ ખાદ્ય પદાર્થમાંથી જીવાત નિકળવાની ઘટના આપણે જોઈ ચૂક્યા છીએ. જે પ્રમાણે આવી ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા લાગે કે શું ખાવું એ સવાલ થાય છે.. આની પહેલા એક સમાચાર સામે આવ્યા હતા જેમાં આઈસ્ક્રીમમાંથી માણસની આંગળી નિકળી હતી. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.