Ahmedabad : અથાણામાંથી ગરોળી નિકળી, ઠંડા પીણાની બોટલમાંથી નીકળ્યો કાનખજૂરો અને શાકમાંથી નીકળ્યો વંદો...,


  • Published By :
  • Published Date : 2024-06-28 18:53:40

ઘર કરતા બહારનું ખાવાનું આપણને વધારે ભાવે છે, મોકો મળતા જ આપણે બહાર ખાવા જતા રહીએ છીએ.. ચટાકેદાર ખાવાનું મળતા આપણને તેનો સ્વાદ યાદ રહી જાય છે.. પરંતુ છેલ્લા થોડા સમયથી ખાદ્ય પદાર્થમાંથી જીવ જંતુ નિકળી રહ્યા છે તે જોતા લાગે કે હવે જોવાનું શું બાકી રહ્યું? એક જ દિવસમાં એવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં ખાદ્ય પદાર્થમાંથી ગરોળી, કાનખજૂરો અને વંદો નીકળ્યો છે..

News18 Gujarati


 

અથાણામાંથી ગરોળી, સોડામાંથી કાન ખજૂરો અને... 

ખાણી પીણીમાંથી જીવાત નિકળવી જાણે સામાન્ય બાબત થઈ ગઈ છે તેવું લાગે છે. થોડા સમય પહેલા બાલાજીની Crunchex વેફરમાંથી દેડકો નીકળ્યો હતો. સૂપમાંથી ગરોળી નીકળી હતી, તે બાદ ઢોંસાના સંભારમાંથી ઉંદર નીકળ્યો હતો.. આની ચર્ચાઓ હજી શાંત નથી થઈ ત્યારે તો આવા અનેક કિસ્સાઓ સામે આવી ગયા. શાકમાંથી વંદો નીકળ્યો, ગૃહઉદ્યોગમાંથી લાવેલા અથાણામાંથી ગરોળી નીકળી અને ઠંડા પીણાની બોટલમાંથી કાનખજૂરો નીકળ્યો..

News18 Gujarati


અમદાવાદની એક હોટલના શાકમાંથી નિકળ્યો વંદો.. 

કાન ખજૂરાની વાત કરીએ તો સરખેજના પાન પાર્લરમાંથી લીધેલા ઠંડા પીણાની બોટલમાંથી નિકળ્યો. કાનખજૂરો નીકળ્યો તેનો વીડિયો ગ્રાહકે બનાવ્યો અને તે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે સિવાય વંદો પંજાબી શાકમાંથી નિકળ્યો. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત હોટલના શાકમાંથી વંદો નીકળ્યો...શાકમાંથી વંદો નીકળતા ગ્રાહક ચોંકી ગયા. તે સિવાય અથાણામાંથી ગરોળી નીકળી છે. અથાણું એવી વસ્તુ છે જેનો ઉપયોગ આપણે રોજ કરતા હોઈએ છીએ.

News18 Gujarati

ખાણી પીણીની વસ્તુઓમાંથી નિકળે છે જીવ જંતુ 

મહત્વનું છે કે આની પહેલા પણ ખાદ્ય પદાર્થમાંથી જીવાત નિકળવાની ઘટના આપણે જોઈ ચૂક્યા છીએ. જે પ્રમાણે આવી ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા લાગે કે શું ખાવું એ સવાલ થાય છે.. આની પહેલા એક સમાચાર સામે આવ્યા હતા જેમાં આઈસ્ક્રીમમાંથી માણસની આંગળી નિકળી હતી. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.