મહારાષ્ટ્રના સંભાજીનગરમાં રામનવમી પહેલા બે જૂથ વચ્ચે થઈ અથડામણ, ઝઘડામાં થયો પથ્થરમારો અને વાહનોમાં લગાવાઈ આગ


  • Published By :
  • Published Date : 2023-03-31 13:16:50

સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રામનવમી પહેલા હિંસા ફાટી નિકળી હતી. બે જૂથ વચ્ચે થયેલી મારામારીએ ઉગ્રરૂપ ધારણ કરી લીધું હતું. ઝઘડામાં પથ્થરમારો પણ થયો હતો, વાહનોમાં આગ પણ લગાવવામાં આવી હતી ઉપરાંત પોલીસની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


બે લોકો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર રૂપ કર્યું હતું ધારણ  

સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ આખી ઘટના બુધવાર રાતની છે. મોડી રાત્રે બે યુવાનો વચ્ચે એક મંદિરની બહાર ઝઘડો શરૂ થયો હતો. જે બાદ બંને યુવકોએ પોતાના સાથીઓને બોલાવ્યા. જે બાદ આ ઝઘડો સાંપ્રદાયિક બની ગયો હતો. પહેલા બંને જૂથો વચ્ચે મારામારી થઈ. મારામારી ઉપરથી પથ્થરમારા પર બંને જૂથો આવ્યા. ઝઘડો એટલો ઉગ્ર બનયો કે વાહનોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું. વાહનોમાં આગ લગાવી દીધી. વાતાવરણ એકદમ તનાવપૂર્ણ થઈ ગયું હતું.


પોલીસે મેળવી લીધો સ્થિતિ પર કાબુ 

હિંસા વધારે વધવા લાગી જે બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે પોલીસના વાહનને પણ જૂથોએ આગ લગાડી દીધી. એવી પણ માહિતી સામે આવી હતી કે એક જૂથ દ્વારા બોમ્બનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આ હિંસામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. મળતી માહિતી અનુસાર હાલ સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સ્થિતિ તો કાબુમાં આવી ગઈ છે પરંતુ સ્થિતિ હજી પણ તનાવપૂર્ણ છે. ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી આ વિસ્તારમાં પોલીસને પણ તૈનાત કરી દેવામાં આવી છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.