માવઠાને કારણે થયેલા પાક નુકસાન અંગે કૃષિમંત્રીની જાહેરાત, સર્વે કરાયા બાદ આપવામાં આવશે સહાય


  • Published By :
  • Published Date : 2023-03-29 16:03:55

વિધાનસભામાં બજેટ સત્રનો આજે અંતિમ દિવસ હતો. વિધાનસભામાં અનેક મુદ્દાઓને લઈ જાહેરાત કરવામાં આવતી હોય છે. ત્યારે ખેડૂતોને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કૃષિમંત્રી દ્વારા કરવામાં આવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે સાચી વિગતો આવ્યા બાદ સહાય કરવામાં આવશે. ઉપરાંત કેરી સહિતના બાગાયતી પાકના નુકસાનીનો સર્વે પણ કરવામાં આવશે અને સહાય ચૂકવવામાં આવશે.  


સાચી વિગતો આવ્યા બાદ સહાય અપાશે - કૃષિમંત્રી 

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો બેહાલ થયા છે. માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર ખેડૂતોની મદદ કરે તેવી રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. ત્યારે વિધાનસભામાં સત્રના અંતિમ દિવસે કૃષિમંત્રી રાઘવ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સાચી વિગતો આવ્યા બાદ સહાય કરવામાં આવશે. ઉપરાંત કેરી સહિતના બાગાયતી પાકના નુકસાનીનો સર્વે પણ કરવામાં આવશે અને સહાય ચૂકવવામાં આવશે.  


કેરી પકવતા ખેડૂતો માટે પણ કરી જાહેરાત!

મહત્વનું છે કે માવઠાને કારણ કે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે કેરીના મોર ખરી પડ્યા હતા. મોટા ભાગની કાચી કેરી બગડી ગઈ છે. ત્યારે આ વખતે કાંતો કેરીની આવકમાં ઘટાડો થશે અથવા તો મોંઘા ભાવે કેરી ખાવી પડશે. 


ક્યારે સર્વે કરાશે અને ક્યારે સહાય ચૂકવાશે તે એક પ્રશ્ન  

પરંતુ અહીંયા પ્રશ્નએ થાય છે કે આ સર્વે ક્યારે કરવામાં આવશે. નુકસાન થયાના અનેક દિવસો બાદ સર્વે કરવામાં આવે છે જેને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. કારણ કે જ્યાં સુધી સર્વે નથી કરવામાં આવતો ત્યાં સુધી સર્વેની રાહમાં મુખ્યત્વે ખેડૂતો બેસી રહેતા હોય છે. સર્વે થઈ પણ જાય પરંતુ સહાય આપવામાં ઘણી વખત બહું સમય લાગી જતો હોય છે. ત્યારે વહેલી તકે સર્વે કરવામાં આવે અને વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. કારણે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ત્યારે આ સહાય સાચે ખેડૂતો પાસે પહોંચે તેવી લોકોને આશા રાખી રહ્યા છે.          




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.