મંત્રીજીએ ભારે કરી! રાઘવજી પટેલ ભૂલમાં 'દેશી દારૂ'ને ચરણામૃત સમજીને ગટગટાવી ગયા, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-09 19:05:58

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે આયોજીત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ ધરતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, પૂજા દરમિયાન મંત્રીજી ધરતી માતાને ચડાવવાનો દેશી દારૂ ચરણામૃત સમજીને પી ગયા હતા. આ  પૂજાવિધિ દરમિયાન રાઘવજી પટેલની આસપાસ રહેલા લોકોએ તેમને રોક્યા પણ હતા જો કે ત્યાં સુધીમાં તો કૃષિમંત્રીએ મદિરાપાન કરી લીધું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


આદિવાસી સમાજની છે પરંપરા 


ડેડીયાપાડામાં આદિવાસી સમાજમાં પરંપરાગત રીતે દેશી દારૂથી ધરતી માતાને અભિષેક કરવાની પરંપરા છે. આજ કારણે આજે આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે પૂજા રાખવામાં આવી હતી. પૂજા બાદ ધરતી માતાને દેશી દારૂથી અભિષેક કરવાની વિધિ વખતે કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે અભિષેક કરાવવામાં આવ્યો હતો. જો કે તેમણે દેશી દારૂને જમીન પર અભિષેક કરવાના બદલે ચરણામૃત સમજીને સીધો જ ગટગટાવી ગયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવોને એક લીલી બોટલમાંથી દેશી દારૂ પાંડદામાં આપવામાં આવ્યો હતો. જો કે તેમણે તે દારૂ ધરતી માતાને અર્પણ કર્યો હતો. 


રાઘવજી પટેલે ભૂલ સ્વીકારી


 ડેડીયાપાડામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કાર્યક્રમ સમાપ્ત થયા બાદ આ અંગે રાઘવજી પટેલે બાદમાં પૂછવામાં  આવતા તેમણે જણાવ્યું હતું કે, "મને આ પરંપરાઓ વિશે ઝાઝું જ્ઞાન નથી. એની જે વિધિ હોય, રિતરીવાજો હોય તેનાથી હું અજાણ છું. પહેલી વખત હું અહીં આવ્યો છું. અમારા ત્યાં ચરણામૃત હાથમાં આપતા હોય છે, એટલે મેં ચરણામૃત ચાખ્યું, પરંતુ હકીકતમાં તે ધરતીમાતાને અર્પણ કરવાનું હતું. મારા ખ્યાલ બહારની આ વાત હતી એટલે આવું થયું." જો કે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં લોકો તેની મજા લઈ રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.