Loksabhaમાં જીત બાદ કોંગ્રેસના સંગઠન માટે બનાસકાંઠાના સાંસદ Geniben Thakorએ કહ્યું કે કોંગ્રેસમાં ઉમેદવારે.. સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-06 16:22:44

ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જ્યારે લોકો તુલના કરતા હોય છે, ત્યારે એક વાત તો લોકો ચોક્કસ કરતા હોય છે કે ભાજપ પોતાના સંગઠનને કારણે જીતે છે અને કોંગ્રેસમાં તે સંગઠનની કમી છે.. સંગઠનનો અભાવ હોવાને કારણે કોંગ્રેસ જીત હાંસલ નથી કરી શકતી.. આ વાત સામાન્ય માણસો કરે તો ચાલે પરંતુ જ્યારે કોંગ્રેસના જ નવા ચૂંટાયેલા સાંસદ કહે તો? બનાસકાંઠામાં ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. સાંસદ તરીકે ચૂંટાતા જ ગેનીબેને કોંગ્રેસને ટકોર કરી છે.. 

26માંથી 26 બેઠકો પર ના લહેરાયો કેસરિયો

ગુજરાત ભાજપ માટે રાજકીય લેબોરેટરી સમાન છે. ગુજરાતમાં કરાતા પ્રયોગો જો ગુજરાતમાં સફળ જાય છે તો તેનો અમલ ધીરે ધીરે અલગ અલગ રાજ્યોમાં કરાતો હોય છે.. લોકસભા ચૂંટણીના પરિણામ વખતે રાજકીય નિષ્ણાંતો કહેતા હતા કે જો ગુજરાતમાંથી ભાજપને એક સીટ પણ ઓછી થાય છે તો તે નેતાઓ માટે માનસિક હાર જેવું સાબિત થશે. અનેક લોકોને લાગતું હતું કે ભાજપને ગુજરાતમાંથી 26એ 26 લોકસભા બેઠક મળશે. 26માંથી ભાજપને 25 સીટો મળી જ્યારે એક સીટ પર ગેનીબેન ઠાકોરે કબ્જો કરી લીધો. બનાસકાંઠામાં ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ. સાંસદ બનતાની સાથે જ તેમણે કોંગ્રેસને ટકોર કરી હતી..



શું કહ્યું ગેનીબેન ઠાકોરે? 

ગેનીબેન ઠાકોરે  કોંગ્રેસના સંગઠનને લઈ સૂચક ટકોર કરતાં કહ્યું હતું કે ઉમેદવાર ચૂંટણી લડતો હોય એના દમ પર લડવું પડે, પોતાના સમાજની તાકાત પર લડવું પડે, એના બદલે પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ જન આશીર્વાદ મેળવશે. સાથે જ તેમણે કહ્યું કે પક્ષ વિરુદ્ધ કામ કરતા હોય એ લોકોને પાર્ટીના નિયમ પ્રમાણે પક્ષમાં સ્થાન ન હોવું જોઈએ. જે માણસ ખોટું કરે છે તેને કોઈ નાનીમોટી સજા કરો. હું કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી, સલાહ આપવાનો મારો અધિકાર પણ નથી. ત્યારે ગેનીબેન ઠાકોરના નિવેદન પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો... 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.