અરવલ્લીમાં મંત્રી પુત્ર અને યુવા મોચરાના નેતાના કારસ્તાન, યુવકને ઢોર માર માર્યો, ગૃહમંત્રી કાયદો અને વ્યવસ્થા ક્યાં?


  • Published By : Admin
  • Published Date : 2025-02-22 16:47:09

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, સુશાસનની વાતો કરતા ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને કદાચ ખબર જ નથી કે યુપી, બિહાર જેવી સ્થિતિ હવે ગુજરાતની પણ થઈ રહી છે. મીડિયામાં દાવા કરતા ગૃહરાજ્યમંત્રી કદાચ મીડિયામાં આવતા દ્રશ્યો જોતા જ નહીં હોય. એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે.  સવાલ સૌથી મોટો એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

શાંતિ, સલામતી અને સુરક્ષાની વાતો કરતી ગુજરાતની સરકારને કદાચ ખબર જ નથી કે આ કેવા પ્રકારની શાંતિ છે જ્યાં એક વ્યક્તિ મારે સામે બીજો ટોળુ લઈને આવે અને એને મારે. ગુંડારાજ ચાલી રહ્યું એવો માહોલ બન્યો છે. વાત આખી એમ છે કે અરવલ્લીથી એક વીડિયો વાયરલ થયો. જેમાં મોડાસા પંથકમાં એક યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. અપશબ્દોની ભરમાર છે એ વીડિયોમાં અને અમારી યુટ્યુબની ગાઈડલાઈન પ્રમાણે અમે તમને એ બતાવી પણ નથી શકતા. આ વીડિયોમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનો દિકરો કિરણસિંહ, રણજિત સિંહ પરમાર જે ભીખુસિંહ ના મોટા પુત્રછે.. અમીષ પટેલ જે ભાજપ યુવા મોરચા અરવલ્લીના પ્રમુખ છે. એમની સાથે બીજા પણ બે  ત્રણ લોકો છે.. બધા મળીને મોડાસામાં રસ્તા પર એક યુવક ટુ-વ્હીલર પર ઉભો છે એને માર મારે છે. સ્વાભાવિક રીતે પ્રશ્ન થશે કે એવા તો ક્યા કારણો છે કે ભાજપના નેતા અને મંત્રીના દિકરા કે નેતાને કાયદો હાથમાં લેવાની ફરજ પડી અમે એ જાણવા એ નેતાઓને ફોન કર્યા. સૌથી પહેલો ફોન અરવલ્લી યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલને કર્યો. તેમણે કહ્યું મારો ભત્રીજો એક્વિટવા લઈને સ્કુલે ગયો અને તેને એ યુવકે માર માર્યો. સવાલ એવો અમે કર્યો કે તમે પોલીસને જાણ કરી શકતા હતા. કાયદો હાથમાં કેમ લીધો તો અમીશભાઈએ ફોન પર એવો જવાબ આપ્યો કે ચાર દિવસ અગાઉ અમે પોલીસને જાણ કરી હતી.. અમે અરવલ્લીના ડીવાયએસપી સાથે વાત કરી તો એમના તરફથી એવો પ્રત્યુતર મળ્યો કે અમને કોઈ પ્રકારની જાણ કરવામાં નથી આવી. તપાસ કરી રહ્યાં છીએ. કોઈ ફરિયાદ આવશે તો ચોક્કસથી લઈ લઈશું. 


બીજો ફોન અમે કર્યો મંત્રી ભીખુસિંહ પરમારના દિકરાને, એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે બાબાને માર્યો એટલે પણ અમારે તો સમાધાન થઈ ગયું છે. વાત થઈ ગઈ છે.. ગોળ ગોળ જવાબો આપ્યા અને અંતે એવું કહ્યું કે અવાજ નથી આવી રહ્યો. સૌથી મોટો સવાલ પપ્પા મંત્રી હોય તો જવાબદારીઓ વધી જાય કાયદો અને વ્યવસ્થા તો એમણે મિત્રોને શીખવવી પડે. પણ આપણે ત્યાં અરવલ્લીમાં ઉંઘુ છે. અમીશભાઈ કહી રહ્યાં છે કે ત્રણ ચાર દિવસથી પોલીસને જાણ કરી દીધી હતી. પણ પોલીસે તો સાફ શબ્દોમાં ના પાડી કે આવુ તો કશું જ નથી. જે વ્યક્તિને આ લોકો માર મારી રહ્યાં છે એ પરપ્રાતિંય યુવક હોવાની માહિતી મળી છે. ચાઈનીઝની લારી ચલાવતો સામાન્ય માણસ છે. એણે જો અમીશભાઈના ભત્રીજાને માર માર્યો પણ હોય તો તમે પોલીસમાં ફરિયાદ કરો. તમે એટલા હકદાર તો નથી કે સામે કાર્યવાહી કરી શકો. કાયદો અને વ્યવસ્થાને હાથમાં લઈ શકો. 


કોઈપણ પાર્ટીનો ખેસ પહેરો કે હોદ્દેદાર હોવાનો અર્થ એવો હોય કે ફરિયાદ પોલીસ પાસે ન જાય અને સીધા જ રસ્તા પર જ ન્યાય કરી દેવાનો. કાયદો જાણે બાપનું રાજ હોય એમ વર્તન કરવાનો અધિકાર તમને કોણે આપ્યો?. ગૃહમંત્રી જુઓ તમારા જ નેતાઓ કાયદો વ્યવસ્થાના તમાશા કરે છે. સરેઆમ કાયદાની ધજીયા ઉડાવે છે. ગૃહમંત્રી તમારી પોલીસને કહી દો અરવલ્લીમાંથી પોતાની ઓફિસ બંધ કરી દે. કેમ કે કાયદો અને વ્યવસ્થા તો તમારા જ નેતાઓ ખિસ્સામાં લઈને ફરે છે. એક વ્યક્તિ મારે સામે બીજો ટોળુ લઈને જાય અને મારે, પોલીસને તો વચ્ચે લાવવાની જ નહીં. આપણે ત્યાં ગોંડલ અને જૂનાગઢ તો એમનેન બદનામ છે પણ અરવલ્લી કઈ ઓછુ નથી. સવાલ એ છે કે એકબીજાને મારે છે લોકો ગુંડાની સામે ગુંડો જ બનાવાનું પાર્ટીનો પાવર દેખાડી દેવાનો શું આ યુપી, બિહાર છે. કાયદો વ્યવસ્થાના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ ઉઠ્યો છે. મંત્રી ભીખુસિંહ પરમાર કાર્યવાહીમાં સહયોગ કરે અને ગૃહરાજ્યમંત્રી યોગ્ય કાર્યવાહી કરાવે એ અપેક્ષા રહેવાની છે



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.