ઉત્તરાયણ બાદ વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ આપી શકે છે રાજીનામું, અટકળો તેજ બનતા ગરમાયું રાજકારણ


  • Published By :
  • Published Date : 2024-01-11 09:39:01

ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ઉથલ પાથલ થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. વધુ એક ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે અને કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય બનેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉત્તરાયણ બાદ ધર્મેન્દ્રસિંહ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ શકે છે.

વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય મામલે મહત્વનો ખુલાસો, શપથવિધિમાં નહીં રહે હાજર,  કારણ પણ જણાવ્યું | Explanation of Independent MLA from Vadodara to Waghodia

વાઘોડિયાના ધારાસભ્ય આપી શકે છે પદ ઉપરથી રાજીનામું 

થોડા સમય પહેલા બે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું, રાજીનામું આપનાર ધારાસભ્ય હતા કોંગ્રેસના ખંભાતના ચિરાગ પટેલ અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી. બંને ધારાસભ્યોએ અચાનક પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું હતું. એ સમયગાળા દરમિયાન લાગતું હતું કે વધુ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. પરંતુ ઘણા સમયથી રાજીનામાના દોર પર વિરામ હતો પરંતુ ફરી એક વખત ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. એવું લાગતું હતું કે આપના કે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપશે પરંતુ એવી માહિતી સામે આવી છે કે આ વખતે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપી શકે છે ઉત્તરાયણ પછી અને કેસરિયો ધારણ કરી શકે છે.

Aam Aadmi Party MLA Bhupat Bhayani Resigns, Joins BJP | આમ આદમી પાર્ટીનાં  ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામું Gujarat - Trishul News  Gujarati - Trishul News Gujarati

ઉત્તરાયણ બાદ રાજીનામું આપી કેસરિયો કરી શકે છે ધારણ 

મળતી માહિતી પ્રમાણે વડોદરાના વાઘોડિયા પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ પદ ઉપરથી રાજીનામું આપે તેવી સંભાવના છે. ઉત્તરાયણ બાદ તે રાજીનામું આપી શકે છે ઉપરાંત ભાજપમાં પણ જોડાઈ શકે છે તેવું અનુમાન છે. ત્યારે ધારાસભ્ય પોતાનું રાજીનામું આપે છે કે નહીં તે તો સમય બતાવશે. મહત્વનું છે કે હજી સુધી જે બે ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે તેમના રાજીનામા વખતે એટલે જ્યારે ધારાસભ્ય રાજીનામા આપવા વિધાનસભા અધ્યક્ષની કેબિનમાં ગયા હતા ત્યારે ભરત બોઘરા હાજર હોય છે, ત્યારે આ વખતે તે હાજર હશે કે નહીં તે જોવું રહ્યું..     




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!