તુર્કી અને સીરિયા બાદ તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનની ધરા ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા હતા ભૂકંપના આંચકા


  • Published By :
  • Published Date : 2023-02-23 10:50:56

તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપને કારણે અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકો બેઘર થયા છે. ત્યારે તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ગુરૂવાર સવારે ભૂકંપના તીવ્ર આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 265 કિમી દૂર નોંધાયું હતું. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપના આંચકાની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. 18 મિનિટની અંદર બે વખત ધરા ધ્રુજી હતી. પ્રથમ વખત આવેલા ભૂકંપની તીવ્રતા 6.6 હતી જ્યારે બીજી વખત આવેલા ભૂકંપની તીવ્રતા 5ની આસપાસ નોંધાઈ હતી. આ સિવાય તાજિકિસ્તાનના મુર્ગોબથી 67 કિમી પશ્ચિમમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો.


બે વખત ધ્રુજી હતી ધરા 

વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યો હતો જેને કારણે હજારો લોકોના જીવ ગયા છે ઉપરાંત અનેક લોકો બેઘર થયા છે. ત્યારે ગુરુવારે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. અફઘાનિસ્તાનમાં થોડી મિનિટોમાં જ બે વખત ધરા ધ્રૂજી હતી. 


6.6 તીવ્રતાનો આવ્યો હતો ભૂકંપ 

રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.6 નોંધાઈ હતી. માત્ર 18 મિનિટની અંદર બે વખત ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. પ્રથમ વખત આવેલા ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ હતી જ્યારે બીજી વખત આવેલા ભૂકંપની તીવ્રતા પાંચથી ઉપર નોંધાઈ હતી. પ્રથમ આંચકાનું કેન્દ્ર જમીનથી 113 કિમી અને બીજા આંચકાનું કેન્દ્ર 150 કિમી ઊંડે હતું. તે સિવાય તાજિકિસ્તાનના મુર્ગોબથી 67 કિમી પશ્ચિમમાં 6.8ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો.       



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.