મહાઠગ કિરણ પટેલ બાદ વડોદરામાં ઝડપાયો વધુ એક નકલી પીએમઓ અધિકારી, જાણો કોની સાથે કરી છેતરપિંડી?


  • Published By :
  • Published Date : 2023-06-24 15:58:06

નકલી અધિકારી બની લોકોને ઠગવાની વાત જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગે છે. એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નકલી ઓળખ ઉભી કરી લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય.હજી કિરણ પટેલનો કિસ્સો શાંત થશે થોડો જ સમય વિત્યો છે ત્યારે ફરી એક વ્યક્તિ નકલી પીએમઓ અધિકારી બની લોકોને છેતરતો હતો. જે નકલી PMO અધિકારીની વાત કરવામાં આવી રહી છે તેમનું નામ છે મયંક તિવારી અને તેમણે પારૂલ યુનિવર્સિટીના ટ્રસ્ટીઓને છેતરવાનો પ્રયાસ કર્યો હતો.   

ભેજાબાજ મયંક તિવારી.

પીએમઓ અધિકારીની આપી નકલી ઓળખ! 

થોડા સમય પહેલા પીએમઓ અધિકારી બની કિરણ પટેલે લોકોને ઠગ્યા હતા તેવી જ રીતે ફરી એક વ્યક્તિએ નકલી અધિકારી બની પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો છે. જે લોકોને ઠગવાનો પ્રયાસ કર્યો તે સામાન્ય લોકો નહીં પરંતુ પારૂલ યુનિવર્સિટીના ટ્ર્સ્ટીઓ હતા. સમગ્ર મામલાની વાત કરીએ તો નકલી અધિકારી હોવાની ઓળખ આપી પહેલા પોતાના મિત્રના બે સંતાનોનું એડમિશન પારૂલ યુનિવર્સિટી ટ્રસ્ટની સ્કૂલમાં કરાવ્યું. એડમિશન કરાવ્યા બાદ ત્યાંના ટ્રસ્ટીઓને એજ્યુકેશનની કામગીરીની મંજૂરી આપવવાની ખાતરી આીપી. અને તે બહાને તેમની પાસેથી પૈસા પણ પડાવી લીધા. ભેજાબાજ મયંક તિવારી વિરૂદ્ધ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી અને હાલ તે પોલીસ કસ્ટડીમાં છે.          


પોલીસ ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો!

આ સમગ્ર  કૌભાંડ ત્યારે સામે  આવ્યું જ્યારે વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યુઇરા સિનીયર સેકેન્ડરી સ્કૂલમાં વહિવટી અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખર રાધેશ્યામ દધીચે તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. ઠગ મયંક તિવારીની મોટી મોટી વાતો સાંભળી સ્કૂલના ટ્રસ્ટી પ્રભાવિત થઈ ગયા હતા અને એવીજ રીતે તે ઠગએ પોતાના બે બાળકોને તે સ્કૂલમાં એડમિશન આપવી દીધું પછી ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તેના પર નજર રાખવામાં આવી અને પછી તેની ધરપકડ કરી ગુનો નોંધાયો પોલીસ દ્વારા તેણે અત્યાર સુધીમાં કેટલા લોકોને બાટલીમાં ઉત્યાર્યા તે અંગેની તપાસ કરવામાં આવી રહી


ઠગનારાઓને નથી લાગતી કાયદાની બીક!

કિરણ પટેલે પણ આવી જ રીતે પીએમઓનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને અનેક લોકોને ઠગ્યા છે. નકલી પીએમઓ અધિકારી બની કિરણ પટેલે અનેક મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો. ખોટી રીતે સુરક્ષા પણ વીઆઈપી સુરક્ષા મેળવી હતી. જમ્મુ કાશ્મીરમાં પ્રોટેકશન સાથે ફરતો ઝડપાયો હતો. આવી વધતી ઘટનાઓને જોઈ પ્રશ્ન એ થાય છે કે કેવી રીતે કોઈ પણ વ્યક્તિ પીએમઓ તેમજ સીએમઓના નામે લોકોને મુર્ખ બનાવી રહ્યા છે. આ લોકોને પ્રેરણા ક્યાંથી મળે છે આવું કરવાની તે વિચારવા જેવી વાત છે. શું તેમને કાયદાની જરાય બીક નથી લાગતી? કેવી રીતે તેઓ ખૂલેઆમ નકલી અધિકારી બની ફરી રહ્યા છે. ત્યારે જલ્દી આવા ઠગબાજો પર નિયંત્રણ આવે તેવી આશા રાખીએ છીએ. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!