Vadodaraની દુર્ઘટના બાદ Dwarkaનું તંત્ર હવે સફાળું જાગ્યું, લાઈફ જેકેટ પહેર્યા વગર બોટની મુસાફરી કરનારને અપાયા લાઈફ જેકેટ!જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-20 11:27:36

સેફ્ટીને લઈ અનેક વખત કહેવામાં આવ્યું છે. ડ્રાઈવીંગ કરતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ, કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવો જોઈએ, બોટ રાઈડિંગ કરતી વખતે સેફ્ટી જેકેટ પહેરવું જોઈએ વગેરે વગેરે.... આવી વાતો અનેક વખત કરવામાં આવી પરંતુ પરિણામ શું આવે છે વાતોનું? અનેક વખત એવા વીડિયો સામે આવે છે જેમાં સુરક્ષા પર વધારે ધ્યાન નથી આપવામાં આવતું પરંતુ દર વખતની જેમ અમે  એ દ્રશ્યો બતાવીએ છીએ એ આશા સાથે કે તે વીડિયો જોયા બાદ કોઈ નાગરિક જાગૃત થાય અને સેફ્ટી કેટલી જરૂરી છે તે જાણે. 

દુર્ઘટના પછી તંત્ર થોડા ટાઈમ માટે સર્તક થઈ જાય છે અને પછી... 

વડોદરામાં થયેલી ઘટનાથી આખું ગુજરાત ગમગીન છે. 14 જેટલા નિર્દોષ લોકોના નિધનને કારણે હજી ગુજરાતના આંસુ સુકાયા નથી, એક વીડિયો સામે આવ્યો છે જેમાં લાઈફ જેકેટ વીના લોકો બોટમાં મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ અચાનક તંત્રને લાઈફ જેકેટ શું તેની મહત્તા શું છે તે જાણે સમજાયું છે તેવું લાગી રહ્યું છે. દ્વારકાનું તંત્ર હવે જાગ્યું છે. જે બોટમાં ઓવરલોડ તો છોડો સેફટી જેકેટ પણ પહેરાવવામાં નહોતા આવતા એ તંત્ર હવે જાગ્યું છે. બોટમાં સફર કરી રહેલા મુસાફરોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યું છે. કોઈ પણ દુર્ઘટના થાય છે તે બાદ તંત્ર થોડા ટાઈમ માટે જાગે છે, અનેક જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવે છે, જ્યાં સેફ્ટી ના હોય ત્યાં સેફ્ટીની સુવિધા કરવામાં આવે છે પરંતુ આટલું ધ્યાન એવી દુર્ઘટનાઓ પછી રાખવામાં આવે છે જ્યારે અનેક લોકોના મોત થઈ ગયા હોય છે.  

વડોદરાના હરણી તળાવમાં ડૂબી ગયા અનેક બાળકો

વડોદરાની દુર્ઘટના બાદ થોડા સમય માટે  પણ આ જાગેલું તંત્ર ક્યારે સૂઈ જાય છે એ ખબર નથી પડતી અને આમની બેદરકારીના કારણે માસુમોના જીવ જાય છે. આ અગાઉ જ્યારે મોરબીમાં દુર્ઘટના બની હતી ત્યારે પણ અમે બતાવ્યું હતું કે કેવી રીતે બેટ દ્વારકાનું પ્રસાશન આંખ આડા કાન કરી રહ્યું છે. હાલ પણ આ જ પરિસ્થિતિ હતી પરંતુ. વડોદરાના હરણી તળાવમાં બોટ ઓવરલોડ હોવાને કારણે પલટી હતી  જેમાં કેટલાય ઘરના ચિરાગ બુઝાઈ ગયા છે. જેને જોઈને હવે દ્વારકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. એનો મતલબ તો એ જ થયો કે કોઈ દુર્ઘટનાની આ તંત્ર રાહ જોઈને બેઠું હતું. 

લોકોને પણ જાણે પોતાના જાનની પરવા નથી તેમ લાગે છે!

દ્વારકાથી બેટ દ્વારકા જતી ફેરી બોટમાં લોકો લાઈફ જેકેટ વગર મુસાફરી કરતાં હતા. આ બોટ ઓવરલોડ રીતે ભરવામાં આવતી હતી. જોકે હવે થોડા દિવસ પછી જેમ હતું તેમ થઈ જશે અને બીજા કોઈ અકસ્માતની રાહ જોતું તંત્ર થઈ જશે અને નેતાઓ પણ મૌન થઈ જશે. વડોદરામાં તો તોય તળાવ હતું, પરંતુ દ્વારકાથી બેટ દ્વારકા જતા તો દરિયો પાર કરવાનો હોય છે, તેમ છતાંય લોકોને પોતાના જીવની પરવા જ ન હોય, તેમ તેઓ લાઈફ જેકેટ વગર મુસાફરી કરતાં જોવા મળતા હોય છે. અહીં સવાલ એ છે કે શું લોકોને પોતાના જીવની પરવા નથી કે પછી તંત્ર બેજવાબદાર છે?


આવી દુર્ઘટના નહીં થાય તેવી વાતો કરવામાં આવે છે પરંતુ પરિણામ?

એવા ઘણા સવાલો થઈ રહ્યા છે. વડોદરાની ઘટના બાદ તંત્ર અને સરકારના મંત્રીઓ એવું કહી રહ્યા છે કે હવે આવું ના થાય તેનું ધ્યાન રાખીશું તો પછી અહી બેટ દ્વારકામાં તમે રાહ જોઈ રહ્યા છો કે કોઈ દુર્ઘટના થાય પછી કંઈક કરીશું?



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.