સેશન્સ કોર્ટ બાદ હવે HCએ પણ ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી, જાણો શું કહ્યું હાઈકોર્ટે


  • Published By :
  • Published Date : 2023-12-04 19:37:21

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વાસવાની મુશ્કેલી વધી છે. ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી પણ રાહત મળી નથી. ગુજરાત હાઈકોર્ટે  ચૈતર વસાવાને મોટો ઝટકો આપતા તેમની આગોતરી જામીન અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનિય છે કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે  વન્યકર્મીઓને માર મારવા અને ધમકી આપવા મામલે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોતાની ધરપકડથી બચવા ચૈતર વસાવા હાલ ભૂગર્ભમાં જતા રહ્યા છે. 


ગુજરાત સરકારે જામીનનો કર્યો વિરોધ 


ગુજરાત હાઇકોર્ટે વનકર્મીઓને માર મારવાનાં કેસમાં હાઇકોર્ટે ચૈતર વાસવાને રાહત આપવા ઇનકાર કરી દીધો છે. હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે, કયા અધિકાર હેઠળ ધારાસભ્યએ વનકર્મીઓને બોલાવ્યા હતા?, આ કેસને લઇને હવે ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે, તો વળી, જામીન અરજી નામંજૂર થતા જ ચૈતર વસાવાએ વકિલ દ્વારા રજૂઆત કરી હતી કે, હું ધારાસભ્ય છું, ક્યાંય જવાનો નથી. જો કે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, આ એક કસ્ટોડિયલ ઇન્ટરોગેશનનો કેસ છે અને સરકારી કર્મચારીઓના માર મારવાનો ગંભીર કેસ છે તેથી વસાવાની અરજી નામંજૂર કરવામાં આવે. ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે વનક્રમીઓને આ રીતે બોલાવી અને ધમકી આપવી તે શું આવું કામ તેમને શોભે છે? 


અગાઉ સેશન્સ કોર્ટે જામીન કર્યા હતા નામંજુર

 

ઉલ્લેખનિય છે કે ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી આ પહેલા પણ ના મંજૂરી થઇ ચૂકી છે, અગાઉ સેશન્સ કોર્ટે અરજીને ફગાવી દીધી હતી. જોકે, આ ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર છે. જમીન સંબંધિત આ કેસમાં વનકર્મીઓને માર મારવાના અને જાહેરમાં ગોળીબાર મામલે ધારાસભ્ય અને તેમની પત્ની સહિતના કેટલાક લોકો સામે ગુનો નોંધાયેલો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.