Bhupat Bhayaniના રાજીનામા બાદ AAPના આ ધારાસભ્યો રાજીનામું આપી BJPમાં જશે તેવી હતી અટકળો, પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-12-13 14:51:30

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ દરેક જગ્યાઓ પર આની ચર્ચા થઈ રહી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની વાત કરીએ તો ડેડિયાપાડાથી ચૈતર વસાવા, ગારિયાધરથી સુધીર વાઘાણી, જામજોધપુરથી આહીર હેમંત ખવાજી અને બોટાદથી ઉમેશ મકવાણા છે. આ લિસ્ટમાં પહેલા વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ હતા પરંતુ હવે તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. વિસાવદરના ધારાસભ્યના રાજીનામા બાદ ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. વિધાનસભામાં સંખ્યાબળ 181 પર પહોંચ્યું છે. ત્યારે આપના વધુ એક ધારાસભ્ય આપને અલવિદા કરી શકે છે તેવી વાતો ચર્ચામાં ચાલી રહી છે. એવી પણ માહિતી સામે આવી કે ઉમેશ મકવાણા પણ આપને છોડી શકે છે.

 

Sudhir Vaghani ✓

ગારીયાધારના ધારાસભ્ય પણ આપી શકે છે રાજીનામું!

આ બધા વચ્ચે એવી વાતો પણ સામે આવી છે કે આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગારીયાધરના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ રાજીનામું આપી શકે છે. પરંતુ જ્યારે સુધીર વાઘાણીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જે અફવાઓ ફેલાઈ રહી છે તેના પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે. તેઓ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે તેવી વાત તેમણે કહી હતી.  

Umesh Makwana - Nuashonraigh Umesh Makwana a ghrianghraf...

ઉમેશ મકવાણાએ રાજીનામાની ચર્ચાઓ અંગે આપી પ્રતિક્રિયા!

આજે સવારે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી તેમજ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવા માટે તે વિધાનસભા પહોંચ્યા હતા અને અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. રાજીનામા આપ્યા બાદ એવી અટકળો ચાલી રહી છે કે તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ઉમેશ મકવાણાનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ભાજપ આપના ધારાસભ્યોને ડરાવે છે અને દબાવે છે અને તેમને કહ્યું હતું કે હવે બીજા કોઈ ધારાસભ્ય રાજીનામુ નથી આપવાના એ બધી અફવા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ત્યારે જોવું એ રહ્યું કે આમ આદમી પાર્ટીની વધુ એક વિકેટ પડશે કે કેમ? ગુજરાત આપમાં ભંગાણ પડશે કે કેમ તે સમય બતાવશે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.