બિપોરજોય વાવઝોડું તો પસાર થઈ ગયું, પરંતુ બનાસકાંઠાની આવી હાલત કરતું ગયું, જુઓ તારાજીની તસવીરો


  • Published By :
  • Published Date : 2023-06-19 17:46:43

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતને ભારે નુકસાન થયું છે. ગુજરાતમાંથી તો વાવાઝોડું તો ગયું પરંતુ લોકોને રડાવતું ગયું. વાવાઝોડું પરંતુ પોતાની પાછળ નુકસાની સર્જીને ગયું છે. અનેક જિલ્લાઓમાં ચક્રવાતને લઈ ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે વાવાઝોડા બાદ બનાસકાંઠાની હાલત અતિશય ખરાબ થઈ ગઈ છે. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જોઈએ કુદરતે સર્જેલી આફતની તસવીરોને... 

   




બિપોરજોય વાવાઝોડાને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. વાવાઝોડાએ જાણે બનાસકાંઠામાં વિનાશ સર્જ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા.  અનેક ઘરોની છતો ઉડી ગઈ હતી. બિપોરજોયનું રિપોર્ટિંગ જ્યારે જમાવટની ટીમે કર્યું ત્યારે જમાવટના કેમેરામાં નુકસાનીની તસવીરો કેદ થઈ હતી. ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. વાવાઝોડાને કારણે અનેક લોકોએ પશુધન પણ ગુમાવ્યું છે. 






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.