Vikas Sahayના આદેશ બાદ કાયદો ભંગ કરનાર પોલીસ વિરૂદ્ધ કરાઈ દંડાત્મક કાર્યવાહી, કેટલાનો ફટકારવામાં આવ્યો દંડ?


  • Published By :
  • Published Date : 2023-08-21 11:09:36

પોલીસ દ્વારા કાયદો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ તો કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ કાયદાનો ભંગ કરનાર પોલીસકર્મી વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા વિકાસ સહાય દ્વારા આ મામલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે જ પહેલા કાયદાનું પાલન કરવું પડશે તેવો આદેશ આપવામાં આવ્યો હતો. આદેશ બાદ કાયદાનો ભંગ કરનાર પોલીસ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર પહેલા જ દિવસે 18 જેટલા પોલીસકર્મીઓને દંડ કરવામાં આવ્યો છે. પહેલા જ દિવસે પોલીસકર્મીઓએ 9 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

પોલીસકર્મી વિરૂદ્ધ કરવામાં આવી કાર્યવાહી 

લોકોને કાયદાનું ભાન થાય તે માટે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવતી હોય છે. તથ્યકાંડ બાદ અમદાવાદમાં તો પોલીસ દ્વારા કાયદો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે. લાખોનો દંડ લોકોએ કાયદો ભંગ કરી ભરી દીધો છે. જ્યારે સામાન્ય માણસને દંડ થાય ત્યારે આપણે મનમાં કહેતા હોઈએ છીએ કે માત્ર સામાન્ય લોકો વિરૂદ્ધ જ કેમ કાર્યવાહી કરવામાં આવે છે? અનેક પોલીસ એવા હોય છે જે કાયદાનું ભંગ કરતા દેખાય છે. પોલીસ દ્વારા જ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે ત્યારે  નિયમોનો ભંગ કરતા પોલીસકર્મી વિરૂદ્ધ કાર્યવાહી કરવા ડીજીપી વિકાસ સહાય દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 



અનેક પોલીસકર્મીઓ કરતા હોય છે કાયદાનો ભંગ 

રસ્તા પરથી જ્યારે આપણે પસાર થતા હોઈએ છીએ ત્યારે અનેક પોલીસકર્મીઓ આપણે જોતા હોય છે જે વર્દીમાં હોય છે પરંતુ ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે. ટુ વ્હીલર પર હોય તો અનેક પોલીસકર્મીઓ હેલ્મેટ વગર જોવા મળતા હોય છે, ગાડીમાં સીટબેલ્ટ વગર તે જોવા મળતા હોય છે. ત્યારે પોલીસની છબીને વધુ નુકસાન ન થાય તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

પોલીસકર્મીઓને ફટકારવામાં આવ્યો દંડ

પોલીસકર્મીઓને લઈ અનેક પરિપત્ર જાહેર કરવામાં આવ્યા છે જેમાં અનેક નિયમોનું પાલન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. કાયદાનું પાલન કરાવનાર પોલીસે જ પોતે કાયદાનું પાલન કરવું પડશે તેવો આદેશ વિકાસ સહાય દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે કાર્યવાહીના પ્રથમ દિવસે જ અનેક પોલીસકર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ 9 હજારની આસપાસની નોંધાઈ છે. કાયદો ભંગ કરનાર  પોલીસકર્મી વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે કાયદો દરેક માટે સરખો હોય છે, નિયમો દરેક માટે સરખા હોય છે તો દંડવાની કાર્યવાહી પણ સરખી હોવી જોઈએ. ત્યારે હવે પોલીસ વિરૂદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!