Sukhdev Singh Gogamedi હત્યા બાદ Mahipal Singh અને Raj Shekhawatએ સરકારને આપી આ ચીમકી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-06 14:59:28

ગઈકાલથી એક સમાચારે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ખુલ્લેઆમ હત્યા કરી દેવામાં આવી છે અને જેના કારણે દેશ ભરમાં કરણી સેના ભારે રોષમાં છે રાજસ્થાન બંધનું એલાન પણ કરી દેવામાં આવ્યું છે. પણ આ બધે એક પ્રતિક્રિયા આવી છે તેના પર ચર્ચા થઈ રહી છે. અલગ અલગ પ્રતિક્રિયા આવી જે ટેન્શન વધારી દે તેવી છે.  

કરણી સેનાના નેતાઓએ આ ઘટના અંગે આપી પ્રતિક્રિયા 

ગઈકાલે જ્યારે આ ઘટના બની ત્યાર પછી અનેક લોકોની તેમજ અનેક રાજપૂત નેતાની પણ પ્રતિક્રિયા આવી છે. કરણી સેનાના નેતા મહિપાલ સિંહે કહ્યું છે કે જ્યાં સુધી સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓ સામે ન આવે ત્યાં સુધી રાજ્યમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે નહીં. ઇલેકશનના રિઝલ્ટ આવ્યા બાદ જ્યારે આ ઘટના બને છે તો ઘણા બધા સવાલો પણ ઉભા થાય છે. મહિપાલ સિંહે સરકારને ચીમકી આપી છે.  મહિપાલસિંહ ઉપરાંત કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે તાત્કાલીક ધોરણે આ હત્યારાઓની ધરપકડ થાય. નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહો, અમને પણ કાયદો હાથમાં લેતા આવડે છે.

દેશમાં મોટું આંદોલન છેડાઈ જવાના એંધાણ!

હવે આવી હત્યાની ઘટના બાદ સરકારપર ઘણા સવાલ ઊભા થાય છે. કારણ કે કરણી સેનાનું એવું કહેવું છે કે અમે પહેલાથી સુરક્ષા માંગી હતી પણ અધ્યક્ષને કેમ સુરક્ષા આપવામાં ન આવી તે એક મોટો પ્રશ્ન છે. આ બધા સવાલો સાથે બીજો ડર એ પણ છે કે જો હત્યારો સામે જલ્દી કાર્યવાહી નહીં થાય તો દેશમાં મોટું આંદોલન થઈ શકે છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.