મોરબી દુર્ઘટના બાદ વડોદરા કોર્પોરેશનને આવ્યું ભાન, સ્કાયવૉક કર્યો બંધ


  • Published By :
  • Published Date : 2022-11-02 16:57:30

વડોદરા મહાનગરપાલિકાએ મોરબીની દુર્ઘટના બાદ સફાળા જાગી સ્કાયવૉક બ્રિજને બંધ કરી દીધો છે. વડોદરા સ્માર્ટ સિટીના લોકો માટે રેલવે સ્ટેશનથી સિટી બસસ્ટેન્ડ સુધી જવા માટે કરોડોના ખર્ચે સ્કાયવૉક બનાવ્યો હતો. વડોદરા સિટી બસસ્ટેન્ડ પર જનમહેલ બનાવી દેવામાં આવ્યું છે આથી સ્કાયવૉકનો ઉપયોગ ઓછા લોકો કરે છે. આ બ્રિજનો નહિંવત લોકો ઉપયોગ કરતા હોવાથી તેના પર અમુક ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ વધી ગઈ છે. 


શું છે આ સ્કાયવૉક બ્રિજ 

વડોદરા મહાનગરપાલિકાએ વર્ષ 2008-2009ના સમયમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ રેલવે સ્ટેશનથી સિટી બસસ્ટેન્ડ જવા માટે સ્કાયવૉક બ્રિજ બનાવ્યો હતો. ત્યાર બાદ વડોદરા સ્માર્ટ સિટીએ ખબર નહીં લાંબા ગાળા માટે બ્રિજ બાબતે વિચાર કર્યો હશે કે નહીં પણ કરોડોના ખર્ચે બનેલા બ્રિજનો ઉપયોગ જ ઘટી જાય તેવો નિર્ણય લઈ લીધો હતો. રેલવે સ્ટેશનથી સિટી બસસ્ટેન્ડ જવા માટે સ્કાયવૉક બ્રિજ બનાવ્યો હતો તેનો ઉપયોગ ઓછો થઈ જાય તેવો નિર્ણય લેવાયો અને સિટી બસસ્ટેશનની જગ્યાએ જનમહેલ ઉભું કરી દેવામાં આવ્યું અને બ્રિજનો ઉપયોગ થઈ ગયો બંધ. 1.89 કરોડના ખર્ચે બનેલો આ સ્કાયવૉક જે 148 મીટર લાંબો છે સાથોસાથ તેનાથી ત્રણ જગ્યાએ જઈ શકાય છે તેવો સમસ મજાનો બ્રિજ પાલિકાના નિર્ણયથી બંધ કરવાનો વારો આવ્યો છે. આ નિર્ણય મોરબી દુર્ઘટના બાદ લેવાયો છે જેથી સારું છે કે કોઈ અકસ્માત નહીં સર્જાય પરંતુ કરોડોનો ખર્ચો કરીને બનાવેલો સ્કાયવૉક વડોદરા કોર્પોરેશનના નિર્ણયોના કારણે બંધ કરાયો તેવું પણ કહી શકાય.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.