મોરબી પુલ દુર્ઘટના બાદ નગરપાલિકાના સભ્યો આ લોકો પર ઢોળ્યો દોષનો ટોપલો, જાણો કોને ગણાવ્યા જવાબદાર


  • Published By :
  • Published Date : 2023-02-16 12:15:49

દિવાળીના સમયે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી જવાથી 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈ હાઈકોર્ટ દ્વારા પણ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ આદેશ આપ્યા બાદ પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. મોરબી નગરપાલિકાના હોદ્દેદારોએ દોષનો ટોપલો ચીફ ઓફિસર અને ઓરેવાના સંચાલકો પર ઢોળી દીધો હતો. સરકારને જવાબ રજૂ કરતા જણાવ્યું કે મોરબીના ઝૂલતો પૂલની દુર્ઘટનામાં અમારી કોઈ જવાબદારી નથી. 


દોષનો ટોપલો બીજા પર ઢોળ્યો 

એક તરફ જ્યાં લોકો દિવાળીના સમય દરમિયાન આનંદ કરી રહ્યા ત્યાં બીજી તરફ અનેક ઘરોમાં માતમ છવાઈ ગયો હતો. મોરબીમાં બનેલો ઝૂલતો પૂલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાઈકોર્ટ દ્વારા આ અંગે કડક પગલા લેવામાં આવે તેવી સરકારને ટકોર કરવામાં આવી હતી. જે બાદ શહેરી વિભાગ દ્વારા પાલિકાને સુપરસીડ કેમ ન કરવી તે અંગે જવાબ આપવા પાલિકાને બે નોટીસ ફટકારવામાં આવી હતી. 


આ જવાબ કરાયા હતા રજૂ 

પ્રથમ નોટીસના જવાબમાં પાલિકાએ પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાનું જણાવી ડોક્યુમેન્ટ આપવા માગણી કરી હતી. જે બાદ બીજી નોટીસ આપવામાં આવી અને 16 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવા કહ્યું હતું. જવાબ રજૂ કરવા પાલિકાની સાધારણ સભા મળી હતી જેમાં બે પ્રકારના જવાબ રજૂ કરવામાં આવ્યા છે. 

પ્રથમ જવાબમાં પાલિકા પ્રમુખે તમામ સભ્યો વતી પોતાનો જવાબ રજૂ કર્યો હતો જેમાં જણાવામાં આવ્યું હતું કે ઝૂલતા પુલનું મેનેજમેન્ટ ઓરેવા ગ્રુપને સોંપવા થયેલા એગ્રીમેન્ટ રક ઓરેવા ગ્રુપ અને પાલિકાના ચીફ ઓફિસરની સહી છે. તો બીજી તરફ પાલિકાના 52માંથી 41 સભ્યે પોતાની રીતે જવાબ તૈયાર કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું કે તેઓ એગ્રીમેન્ટ તેમજ ઓરેવા ગ્રુપ વિશે તેઓ જાણતા નથી.             




હમણાં થોડાક સમય પેહલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા . પરંતુ જયારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું . શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ. હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે.

હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?