Loksabha Electionની તારીખ જાહેર થયા બાદ PM Modiએ આપ્યો આ સંદેશ, સોશિયલ મીડિયા પોસ્ટ લખી અને કહ્યું....


  • Published By :
  • Published Date : 2024-03-16 18:20:40

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. 19 એપ્રિલથી ચૂંટણી યોજાશે અને પહેલી જૂનના રોજ સાતમા તબક્કાનું મતદાન યોજાવાનું છે. 4 જૂનના રોજ પરિણામ આવવાનું છે. ચૂંટણીની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક ટ્વિટ કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે.  આ વખતે પણ ભારતના લોકો તેમને અપાર પ્રેમ અને આશીર્વાદ આપશે અને તેઓ ત્રીજી વખત આવી રહ્યા છે.      

ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ લાગુ થઈ આચાર સંહિતા

19 એપ્રિલથી લોકશાહીના પર્વની શરૂઆત થવાની છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આગામી પાંચ વર્ષ માટે દેશ માટે સરકારની પસંદગી કરશે. આજે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર થયા બાદ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જતી હોય છે. ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કરી છે અને તેમાં મતદાતાઓને અપીલ કરી છે. 

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી કહ્યું કે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે.ભાજપ-એનડીએ આ ચૂંટણીઓ લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સુશાસન અને જાહેર સેવાના અમારા ટ્રેક રેકોર્ડના આધારે અમે લોકોની વચ્ચે જઈશું. મને પૂરો વિશ્વાસ છે કે અમને સતત ત્રીજી વખત 140 કરોડ પરિવારના સભ્યો અને 96 કરોડથી વધુ મતદારોનો સંપૂર્ણ સ્નેહ અને આશીર્વાદ મળશે. 


ભારતની વિકાસ યાત્રાનો રોડમેપ તૈયાર છે - પીએમ મોદી

વધુમાં તેમણે લખ્યું કે હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે આવનારા 5 વર્ષ આપણા સામૂહિક સંકલ્પનો સમયગાળો હશે જેમાં આપણે આગામી એક હજાર વર્ષની ભારતની વિકાસ યાત્રાનો રોડમેપ તૈયાર કરીશું. આ સમય ભારતના સર્વાંગી વિકાસ, સર્વસમાવેશક સમૃદ્ધિ અને વૈશ્વિક નેતૃત્વનો સાક્ષી બનશે.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.