Loksabha Electionની તારીખ જાહેર થયા બાદ PM Modiએ આપ્યો આ સંદેશ, સોશિયલ મીડિયા પોસ્ટ લખી અને કહ્યું....


  • Published By :
  • Published Date : 2024-03-16 18:20:40

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. 19 એપ્રિલથી ચૂંટણી યોજાશે અને પહેલી જૂનના રોજ સાતમા તબક્કાનું મતદાન યોજાવાનું છે. 4 જૂનના રોજ પરિણામ આવવાનું છે. ચૂંટણીની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક ટ્વિટ કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે.  આ વખતે પણ ભારતના લોકો તેમને અપાર પ્રેમ અને આશીર્વાદ આપશે અને તેઓ ત્રીજી વખત આવી રહ્યા છે.      

ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ લાગુ થઈ આચાર સંહિતા

19 એપ્રિલથી લોકશાહીના પર્વની શરૂઆત થવાની છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આગામી પાંચ વર્ષ માટે દેશ માટે સરકારની પસંદગી કરશે. આજે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર થયા બાદ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જતી હોય છે. ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કરી છે અને તેમાં મતદાતાઓને અપીલ કરી છે. 

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી કહ્યું કે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે.ભાજપ-એનડીએ આ ચૂંટણીઓ લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સુશાસન અને જાહેર સેવાના અમારા ટ્રેક રેકોર્ડના આધારે અમે લોકોની વચ્ચે જઈશું. મને પૂરો વિશ્વાસ છે કે અમને સતત ત્રીજી વખત 140 કરોડ પરિવારના સભ્યો અને 96 કરોડથી વધુ મતદારોનો સંપૂર્ણ સ્નેહ અને આશીર્વાદ મળશે. 


ભારતની વિકાસ યાત્રાનો રોડમેપ તૈયાર છે - પીએમ મોદી

વધુમાં તેમણે લખ્યું કે હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે આવનારા 5 વર્ષ આપણા સામૂહિક સંકલ્પનો સમયગાળો હશે જેમાં આપણે આગામી એક હજાર વર્ષની ભારતની વિકાસ યાત્રાનો રોડમેપ તૈયાર કરીશું. આ સમય ભારતના સર્વાંગી વિકાસ, સર્વસમાવેશક સમૃદ્ધિ અને વૈશ્વિક નેતૃત્વનો સાક્ષી બનશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે