નકલી હળદર બનાવતી ફેક્ટરી મળી આવ્યા બાદ રાજ્ય સરકાર આકરા પાણીએ! આ મામલે બે લોકો વિરૂદ્ધ લગાવાઈ આઈપીસીની ચાર કલમો!


  • Published By :
  • Published Date : 2023-04-13 11:19:13

થોડા દિવસો પહેલા નડિયાદથી નકલી હળદર બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપી પાડી હતી. હળદર બનાવવામાં માટે હળદરની જગ્યાએ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડા થતા રાજ્ય સરકાર દ્વારા પણ આ મામલે કડક એક્શન લેવા આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે 2 લોકો સામે ડુપ્લીકેટ હળદર બનાવવા મામલે આઈપીસીની ચાર કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. 


પોલીસે ઝડપી પાડી હતી નકલી હળદર બનાવતી ફેક્ટરી  

હળદરને આરોગ્ય માટે સૌથી સારો પદાર્થ માનવામાં આવે છે. હળદરનું સેવન કરવાથી અનેક રોગોથી મુક્તિ મળે છે. ત્યારે નડિયાદથી નકલી હળદર બનાવતી ફેક્ટરીને પોલીસે ઝડપી પાડી છે. પોલીસને બાતમી મળી હતી કે નકલી દારૂ બનાવવા માટે કેમિકલ ફેક્ટરીમાં ઉતારવામાં આવ્યું છે. જેને લઈ પોલીસે ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને જે મળ્યું તેને જોઈ પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, દારૂ નહીં પરંતુ નકલી હળદર બનાવવા માટે કેમિકલ ઉતારવામાં આવ્યું હતું. પોલીસે નકલી હળદર બનતી હોવાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે આવનાર સમયમાં કોઈ પણ લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તે માટે રાજ્ય સરકારે આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. અને તેને લઈ બે લોકો વિરુદ્ધ આઈપીસીની ચાર કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આઈપીસીની કલમ 420,272,273,120 લગાવવામાં આવી છે.  


શું કડક કાર્યવાહી કરવાથી ભેળસેળ કરતા લોકોમાં ડર ઉભો થશે? 

આજકાલ મુખ્યત્વે એવી એક પણ વસ્તુ નથી મળતી જેમાં ભેળસેળ કરવામાં આવી ન હોય. અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે. કોઈ વખત ઘીમાં ભેળસેળના કિસ્સા સામે આવતા હોય છે તો કોઈ વખત મસાલામાં ભેળસેળ થયા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. લોકો થોડા પૈસા કમાવાની લાલચમાં અનેક લોકોના જીવન સાથે ચેડા કરે છે. ત્યારે જોવાનું એ રહ્યું છે કે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અથવા તો કરાશે તો તેની અસર ભેળસેળ કરતા અન્ય લોકો પર થશે? તે લોકો સુધરશે કે કેમ તે એક પ્રશ્ન છે.     



પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.