ગુજરાતમાં કારમી હાર બાદ કોંગ્રેસ એકાએક જાગ્યુંં, હારના કારણો શોધવા લીધો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-04 16:31:56

ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાયુ હતું અને આઠમ ડિસેમ્બરે આ ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. ત્યારે કોંગ્રેસને આ ચૂંટણીમાં 182માંથી 17 સીટ મળી હતી. ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીએ ત્રણ લોકોની કમિટીની રચના કરી છે જે હારના કારણો શોધશે અને રિપોર્ટ પાર્ટીને સોંપશે.

  

કોંગ્રેસે કરી ત્રણ સભ્યોના કમિટીની રચના 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. 182 બેઠકોમાંથી ભાજપને 156 સીટ મળી હતી. આપને 5 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટો મળી હતી. ત્યારે ગુજરાતમાં કારમી હાર બાદ કોંગ્રેસ મનોમંથન કરી રહી છે. કયા કારણોસર ગુજરાતમાં હારનો સામનો કરવો પડ્યો તે અંગે તપાસ કરવા કોંગ્રેસે ત્રણ લોકોની કમિટીની રચના કરી છે. જે હાર અંગેના રિપોર્ટ પાર્ટીને આપશે. આ સભ્યોમાં નીતિન રાઉત, સપ્તગીરી શંકર અને શકિલ અહમદ ખાનનો સમાવેશ થાય છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.