બોરવેલની ઘટના બાદ Praful Panseriyaએ શિક્ષકોને આ જવાબદારી ઉપાડવા કરી વિનંતી, જાણો ખુલ્લા બોરવેલ અંગે શું કરવા કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-05 13:34:49

થોડા દિવસ પહેલા અઢી વર્ષની માસુમ બાળકી એન્જલ બોરવેલમાં પડી ગઈ હતી. નાના ગામડાઓમાં અનેક વખત બોરવેલ બનાવવામાં આવતા હોય છે પરંતુ તેને પૂરવામાં ન આવતા આવી દુર્ઘટના સર્જાય છે અને કોઈ  માસુમ પોતાનું જીવન ખોઈ બેસે છે. ત્યારે પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને સંબોધીને પત્ર લખ્યો છે જેમાં તેમણે બિન ઉપયોગી બોરવેલ હોય તો પૂરવા માટે ગામજનોને સમજાવવામાં આવે. જો બિન ઉપયોગી બોરવેલ  હોય તો શોધી ગુરૂજનોએ આ કામ ઉપાડી લેવું જોઈએ. એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ આપ કરો એવી મારી સૌને લાગણીભરી વિનંતી છે. 

Devbhoomi Dwarka: Operation Angel Successful, Baby Girl Saved After 8 Hours  Of Labor | Dwarka News: રાણ ગામે બોરવેલમાં ફસાયેલી બાળકીને બચાવી ન શકાઈ,  સારવારમાં મોત

અઢી વર્ષની બાળકીએ ગુમાવ્યો હતો પોતાનો જીવ 

દેવભૂમિ દ્વારકાથી થોડા દિવસ પહેલા એક કરૂણ ઘટના સામે આવી હતી. અઢી વર્ષની બાળકીએ રમતા રમતા પોતાનો જીવ બોરવેલમાં પડી જતા ગુમાવી દીધો. બાળકીને બચાવવા માટે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ મેદાનમાં ઉતરી હતી. કલાકોની મહેનત બાદ બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવાની સફળતા મળી હતી પરંતુ સારવાર દરમિયાન તે દીકરીએ અંતિમ શ્વાસ લીધા. તે બાદ પરિવારમાં તેમજ લોકોમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી હતી.નાના નાના ગ્રામડાઓમાં અનેક વખત આવા અનેક બોરવેલ બનાવવામાં આવતા હોય છે. બોરવેલ તો બનાવાઈ દેવાય છે પરંતુ તેને પૂરવામાં નથી આવતા તેને ઢાંકવામાં નથી આવતા. 

પ્રફુલ પાનસેરીયાએ શિક્ષકોને કરી આ વિનંતી 

ખુલ્લા બોરવેલ હોવાને કારણે અનેક વખત આવી દુર્ઘટના સર્જાતી હોય છે. કોઈ માસુમે પોતાનો જીવ ગુમાવો પડે છે. ત્યારે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને વિનંતી કરતો એક પત્ર લખ્યો છે કે દિવસ-રાત કાર્યશીલ તંત્રની સજાગતા છતાં ખુલ્લા બોરવેલમાં બાળક પડી જવાની ઘટનાનાં પગલે આપ સૌ ગુરુજનોને મારી વિનંતિ છે કે રાજયના અઢાર હજાર ગામડાઓ, એની શાળાઓ, કોલેજો, ગામના પરિસર કે ખુલ્લી જગ્યાઓમાં બિનઉપયોગી આવા બોર ખોળી કાઢી, એને બંધ કરવાનું આ કામ સૌ ગુરુજનો ઉપાડી લ્યો. એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ આપ કરો એવી મારી સૌને લાગણીભરી વિનંતિ છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.