સિરપકાંડ બાદ : લોકો હજી પણ નથી સુધરી રહ્યા! Nadiyadમાં જાણી જોઈને એક વ્યક્તિએ પીધી સીરપ અને પછી જોવા જેવી થઈ!


  • Published By :
  • Published Date : 2023-12-05 14:42:25

સીરપકાંડની ચકચારી ઘટનાએ કેટલાયના પરિવારો ઉજાડયા છે. તોય લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા. ખેડા જીલ્લા પોલીસના જવાનોને અડધી રાત્રે શેઢી નદીમાં જીવના જોખમે સિરપની બોટલો શોધવા નીકળવું પડ્યું છે. ચકચારી સિરપકાંડમાં એક બાદ એક ભેદ ખૂલી રહ્યા છે. ઘણા પરિવારોના ઘર ઉજડ્યા છે, પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સીરપ પીવાથી અત્યારસુધી 6 લોકોના મોટ નિપજ્યા છે.આ વચ્ચે પણ સીરપ પીવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. 

Due to syrup, health of one more youth in Kheda deteriorated સિરપને કારણે ખેડામાં વધુ એક યુવકની તબિયત લથડી, નદીમાંથી સિરપની બોટલ મળતાં પોલીસ ચોંકી ઉઠી

40 વર્ષીય વ્યક્તિએ પીધી સીરપ અને બગડી તબિયત!

નડિયાદના નવા બિલોદરાના 40 વર્ષીય વ્યક્તિએ આ સિરપનો ઘૂંટ મારતા તેમની તબિયત લથડી છે. જે બાદ તુરંત સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ વ્યક્તિએ પોલીસની સમક્ષ એવું નિવેદન આપ્યું છે કે, ઘરકંકાસમાં ઘર છોડી તે નજીક આવેલી શેઢી નદીએ પહોંચ્યા હતો. જ્યાં નદીના કાંઠે પડેલી સિરપની બોટલ ઘરે લાવી પીધી હતી. આ બનાવ બાદ પોલીસે નદીકાંઠે પહોંચી સર્ચ હાથ ધર્યું છે.


ઘરકંકાસને કારણે પીધી સીરપ!

નડિયાદ તાલુકાના નવા બિલોદરા ખાતે આવેલા કર્મવીર નગરના મકાન નંબર 8મા હેમંતભાઈ રતીલાલ ચૌહાણ રહે છે. ઘરકંકાસના કરાણે તે ઘર નજીક આવેલી શેઢી નદીના કાંઠે પહોંચ્યો હતો. જ્યાં તેની નજર સિરપની ખાલી અને ભરેલી બોટલો ઉપર પડી હતી. જેથી બે સિરપની બોટલ પોતાના સાથે ઘરે લાવી ગતરોજ મોડી રાત્રે પી લીધી હતી. જે બાદ હેમંત ચૌહાણની તબિયત લથડતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.


પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો સર્ચ માટે! 

બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલાએ મોડીરાત્રે શેઢી નદીના પટમાં પહોંચી તપાસ‌ હાથ ધરી હતી. નદીના ચારેય બાજુ સર્ચ કરી તરતી સિરપની બોટલો એકત્ર કરી હતી અને વધુમાં મોડી રાત હોવાથી વહેલી સવારે ફાયરબ્રિગેડ અને ડિઝાસ્ટરની ટીમની મદદથી નદીમાં હજી વધારે સિરપની બોટલો હોય તો તેને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે. વધુમાં જિલ્લાવાસીઓને અપીલ કરી છે કે, નાગરિકો પોલીસને સહકાર આપે અને આવી કોઈ ચીજવસ્તુઓ મળી આવે તો તુરંત નજીકના પોલીસ મથકે જાણ કરે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.