સિવિલના ઇન્ચાર્જનો ફોન ચોર્યા બાદ બીકના માર્યે પરત મૂકી ગયો


  • Published By :
  • Published Date : 2022-11-04 15:17:37

નવી સિવિલ હોસ્પિટલમાં આરએમઓ ઓફિસમાં આજે સવારે ઇન્ચાર્જ આરએમઓનો મોબાઈલ નજર સામેથી ગાયબ થઇ ગયો હતો.


સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આર.એમ.ઓ ઓફિસમાં ઇન્ચાર્જ આરએમઓ ડો.ઓનકાર ચૌધરીનો ગુરુવારે સવારે અચાનક ટેબલ પરથી તેમનો ફોન ગાયબ થઇ ગયો હતો.જોકે તેમની પાસે દર્દી, તેમના સંબંધી સહિતના વ્યકિતો કામ અર્થે કે મુલાકાત માટે અવાર જવર કરતા હોય છે. તેવા સમયે ડો. ચૌધરી પોતાના કામમાં વ્યસ્ત હતા. તે સમયે તેમની નજર સાથે ટેબલ ઉપર મુકેલો મોબાઇલ કોઇ વ્યકિત લઇને જતો રહ્યો હતો. બાદમાં તે વ્યકિતએ મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. જોકે તેમણે તથા ત્યાંના સ્ટાફે ધણી શોધખોળ કરતા મોબાઇલ મળ્યો ન હતો. જેથી આ અંગે તેમણે ખટોદરા પોલીસ મથકમાં અરજી આપી હતી. જોકે ત્યાંના  સી.સી ટીવી કેમેરા ચેક કરવાના કર્મચારીઓએ શરૃ કર્યા હતા. ત્યારે સાંજે આર.એમ.ઓ કચેરીની એક ઓફિસ માંથી ફાઇલ નીચેથી તેમનો મોબાઇલ મળી આવ્યો હતો. જોકે કોઇ વ્યકિત તેમનો મોબાઇલ કોઇ કારણસર સંતાડી દીધો હતો. જયારે પકડાઇ જવાની બીકના લીધે તે વ્યકિત મોબાલઇ મુકી દીધો હશે. એવુ ડોકટરે કહ્યુ હતું.



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.