સીમા હૈદર બાદ પાકિસ્તાનથી લગ્ન કરવા ભારત પહોંચી જાવેરિયા, વાજતે-ગાજતે થયું સ્વાગત, જાણો અનોખી લવ સ્ટોરી વિશે


  • Published By :
  • Published Date : 2023-12-06 14:32:42

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તંગદીલી ચાલી રહી છે, પણ બંને દેશો વચ્ચેના સામાજીક સંબંધ યથાવત છે. પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની દેશમાં ખૂબ ચર્ચા થઈ હતી. હવે અન્ય એક પાકિસ્તાની યુવતી ભારત આવી પહોંચી છે. પાકિસ્તાનથી ભારત આવેલી જાવેરિયાનું વાઘા-અટારી બોર્ડર પર વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.જાવેરિયા ખાસ ભારતમાં લગ્ન કરવા માટે  પાકિસ્તાનના કરાચીથી ભારત એકલી આવી છે કોલકાતાના સમીર સાથે જાવેરિયાની આજથી પાંચ વર્ષ પહેલા સગાઈ થઈ હતી. જો કે તેની વીઝા અરજી અવારનવાર કેન્સલ થતી હતી, અંતે વીઝા મળતા તે લગ્ન કરવા આવી પહોંચી હતી. 


આગામી 6 જાન્યુઆરી થશે લગ્ન


જાવેરિયા ખાનમને 45 દિવસના વિઝા મળ્યા છે. સમીર અને જાવેરિયા આગામી 6 જાન્યુઆરીએ લગ્નગ્રંથીથી જાોડાશે. આ યુગલે લગ્ન કરવા માટે પાંચ વર્ષ રાહ જોઈ છે. જાવેરિયાની વિઝા એપ્લિકેશન સતત બે વખત કેન્સલ થતા તેમના લગ્નનો પ્લાન ખોરંભે ચડ્યો હતો. જાવિરેયાના પિતાએ જણાવ્યું કે કોલકાત્તામાં રહેતા સમીરના પરિવારે જાવેરિયાનો હાથ માંગ્યો હતો અંતે બંને પરિવારે રાજીખુશીથી બંનેની સગાઈ કરી હતી. જો કે હાલ તો માત્ર જાવેરિયા ખાનમને જ વીઝા મળ્યા છે.


કઈ રીતે થયો પ્રેમ?


જાવેરિયા પાકિસ્તાનના કરાચી અને સમીર ભારતના કોલકાત્તામાં રહે છે, હવે આ બંને કયા સંજોગોમાં મળ્યા તે કહાની રસપ્રદ છે. સમીરના જણાવ્યા પ્રમાણે તેણે પહેલી વખત જવેરિયાની તસવીર વર્ષ 2018માં જોઈ હતી. તેની માતાના મોબાઈલમાં જવેરિયાની તસવીર હતી, તે વખતે તે જર્મનીમાં અભ્યાસ કરતો હતો. રજાઓમાં તે ભારત આવ્યો ત્યારે તેણે માતાના મોબાઈલમાં અચાનક જ જવેરિયાની તસવીર જોતા જ તેને જવેરિયા સાથે પ્રેમ થઈ ગયો અને તેણે માતાને કહ્યું કે મારે આ છોકરી સાથે લગ્ન કરવા છે. બાદમાં સમીરના પરિવારજનો પાકિસ્તાન સ્થિત જવેરિયાના પિતા અજમત ઈસ્માઈલ પાસે સગાઈની વાત કરતા તેઓ સગાઈ માતે રાજી થઈ ગયા હતા. ઉલ્લેખનિય છે જવેરિયાના પિતા અને સમીરની માતા કઝીન છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.