Valsadથી સામે આવ્યા દ્રશ્યો જે જોયા બાદ લાગશે કે આપણે વિકાસની વાતો તો કરીએ છીએ પરંતુ.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-17 14:27:09

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસદરા ગામથી એક વીડિયો સામે આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નાની મોટી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ભેંસદરા ગામના લોકોએ જોખમી રીતે સ્મશાનયાત્રા કાઢવી પડી છે જેનો વીડિયો ધારાસભ્ય અનંત પટેલે શેર કર્યો છે. મૂળ વાત એમ છે કે ભેંસદરા ગામનું સ્મશાન નદીના એક ટાપુ પર આવેલુ છે. ત્યાં જવા માટે લોકોએ 3 કિમીનું અંતર કાપવું પડે છે. 

ધરમપુરના ભેંસદરા ગામમાં આવેલી નદી...

ત્રણ કિલોમીટરનું અંતર ન કાપવું પડે તે માટે લોકો નદીમાં કેડસમા પાણી હોય ત્યારે પાણીમાં ઉતરીને જ જતા હોય છે. લોકોએ 3 કિમી દૂર ફરીને અને પાણીમાં ઉતરીને ન જવું પડે તે માટે અહીં એક કોઝવે બનાવી આપવાની માગ કરી છે. તંત્ર દ્વારા અહીં કોઝવે બનાવવાની દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસદરા ગામ પાસેથી પસાર થતી લાવરી નદીના વચ્ચે રાજા રજવાડાના સમયથી ટાપુ આવ્યો છે. જેમાં રાજાના સમયથી સ્મશાન બનાવવામાં આવ્યું છે. રાજાના સમયથી લાવરી નદીની વચ્ચે આવેલા ટાપુ ખાતે આવેલા સ્મશાનમાં જવા માટે 2 રસ્તા બનાવવામાં આવ્યા હતા. 



વિકાસની વાતો કરીએ છીએ પરંતુ અનેક વિસ્તારો આજે પણ વિકાસથી વંચિત!

જે પૈકી એક રસ્તો 3 કિલોમીટરથી વધુનું અંતર કાપી ટાપુ ઉપર જાય છે. જ્યારે અન્ય એક શોર્ટકટ રસ્તો નદીના તટમાંથી જાય છે. ભેંસધરા ગામમાં એક વૃદ્ધાનું મૃત્યુ થયું તો આવી પરિસ્થિતિમાં અંતિમ યાત્રા કાઢવી પડી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લાવરી નદી ઉપર કોઝવે બનાવવા સ્થાનિક લોકોએ વારંવાર રજુઆત કરી છે. પરંતુ આજદિન સુધી રજુઆત ધ્યાને ન લેવાતા મૃતકના શબને ચોમાસા દરમિયાન નદીના વહેતા પાણીમાં લઈ જવાની ફરજ પડે છે. ત્યારે અનેક ગામડા એવા છે જ્યાં આવી જ પરિસ્થિતિ છે આપણે વિકાસની વાતો કરીએ છીએ પણ આદિવાસી વિસ્તારોમાં જીવન જરૂરી સુવિધાઓ પણ નથી પહોંચી! ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.