Valsadથી સામે આવ્યા દ્રશ્યો જે જોયા બાદ લાગશે કે આપણે વિકાસની વાતો તો કરીએ છીએ પરંતુ.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-17 14:27:09

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસદરા ગામથી એક વીડિયો સામે આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નાની મોટી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ભેંસદરા ગામના લોકોએ જોખમી રીતે સ્મશાનયાત્રા કાઢવી પડી છે જેનો વીડિયો ધારાસભ્ય અનંત પટેલે શેર કર્યો છે. મૂળ વાત એમ છે કે ભેંસદરા ગામનું સ્મશાન નદીના એક ટાપુ પર આવેલુ છે. ત્યાં જવા માટે લોકોએ 3 કિમીનું અંતર કાપવું પડે છે. 

ધરમપુરના ભેંસદરા ગામમાં આવેલી નદી...

ત્રણ કિલોમીટરનું અંતર ન કાપવું પડે તે માટે લોકો નદીમાં કેડસમા પાણી હોય ત્યારે પાણીમાં ઉતરીને જ જતા હોય છે. લોકોએ 3 કિમી દૂર ફરીને અને પાણીમાં ઉતરીને ન જવું પડે તે માટે અહીં એક કોઝવે બનાવી આપવાની માગ કરી છે. તંત્ર દ્વારા અહીં કોઝવે બનાવવાની દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસદરા ગામ પાસેથી પસાર થતી લાવરી નદીના વચ્ચે રાજા રજવાડાના સમયથી ટાપુ આવ્યો છે. જેમાં રાજાના સમયથી સ્મશાન બનાવવામાં આવ્યું છે. રાજાના સમયથી લાવરી નદીની વચ્ચે આવેલા ટાપુ ખાતે આવેલા સ્મશાનમાં જવા માટે 2 રસ્તા બનાવવામાં આવ્યા હતા. 



વિકાસની વાતો કરીએ છીએ પરંતુ અનેક વિસ્તારો આજે પણ વિકાસથી વંચિત!

જે પૈકી એક રસ્તો 3 કિલોમીટરથી વધુનું અંતર કાપી ટાપુ ઉપર જાય છે. જ્યારે અન્ય એક શોર્ટકટ રસ્તો નદીના તટમાંથી જાય છે. ભેંસધરા ગામમાં એક વૃદ્ધાનું મૃત્યુ થયું તો આવી પરિસ્થિતિમાં અંતિમ યાત્રા કાઢવી પડી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લાવરી નદી ઉપર કોઝવે બનાવવા સ્થાનિક લોકોએ વારંવાર રજુઆત કરી છે. પરંતુ આજદિન સુધી રજુઆત ધ્યાને ન લેવાતા મૃતકના શબને ચોમાસા દરમિયાન નદીના વહેતા પાણીમાં લઈ જવાની ફરજ પડે છે. ત્યારે અનેક ગામડા એવા છે જ્યાં આવી જ પરિસ્થિતિ છે આપણે વિકાસની વાતો કરીએ છીએ પણ આદિવાસી વિસ્તારોમાં જીવન જરૂરી સુવિધાઓ પણ નથી પહોંચી! ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે