Rohan Guptaએ ભાજપમાં જોડાયા પછી કૉંગ્રેસના વિરોધાભાસની વાતો કરી પણ એમના વિરોધાભાસનો શું જવાબ? સાંભળો તેમના બન્ને નિવેદનોને..


  • Published By :
  • Published Date : 2024-04-11 17:55:33

અંતરાત્મા અને રાજનેતાઓ વચ્ચે વધારે સંબંધ નથી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે રાજનેતામાં જાગેલો અંતરાત્મા ગમે ત્યારે સૂઈ જાય છે..! પક્ષની સાથે છેડો ફાડતા જ નેતાના બોલ બદલાઈ જાય છે... જે પક્ષ સાથે અનેક વર્ષો સુધી નેતાઓ જોડાયેલા હોય તે પક્ષની નીતિઓ તે જ નેતાઓ સવાલ કરતા હોય છે જ્યારે તે બીજા પક્ષમાં જોડાઈ જતા હોય છે. જેવી રીતે નેતા પાર્ટીને બદલે છે તેવી રીતે તેમના બોલ પણ બદલાઈ જાય છે... જે પક્ષનો વિરોધ નેતાઓ કરતા હોય છે તેમની જ નીતિઓ માત્ર થોડા સમયની અંદર દેખાવા લાગતી હોય છે...

રાજીનામું આપી થોડા દિવસની અંદર જોડાઈ ગયા ભાજપમાં

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. કોંગ્રેસે અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરેલા રોહન ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. ઉમેદવાર તરીકે જ્યારે તેમના નામની જાહેરાત કરવામાં આવી તે બાદ તેમણે અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી. અંગત કારણો દર્શાવી તે ચૂંટણી નહીં લડી શકે તેવું નિવેદન આપ્યું પરંતુ માત્ર થોડા દિવસોની અંદર તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.


અનેક નેતાઓના નિવેદનો હોય છે વિરોધાભાસી! 

દિલ્હી ખાતે રોહન ગુપ્તાએ કેસરિયો ધારણ કર્યો અને તે બાદ તેમણે નિવેદન આપ્યું છે. બંને નિવેદનોમાં મોટો ફેરફાર દેખાયો હતો.! બંને નિવેદનોમાં વિરોધાભાસ દેખાઈ આવ્યો હતો. કોંગ્રેસમાં દેખાતી ખામીઓ અંગે તેમણે વાત કરી હતી. કોંગ્રેસના નેતૃત્વ પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા. બીજા નિવેદનની વાત કરવી છે જે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આપ્યું હતું. પિતાની તબિયત ખરાબ હોવાને કારણે તેમણે ચૂંટણી ના લડવાનો નિર્ણય લીધો હતો. મહત્વનું છે કે આવા વિરોધાભાસી નિવેદન અનેક મંત્રીઓના નિવેદનોમાં જોવા મળતા હોય છે.. ત્યારે રોહન ગુપ્તાના નિવેદનો પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં કહો...    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.