Rohan Guptaએ ભાજપમાં જોડાયા પછી કૉંગ્રેસના વિરોધાભાસની વાતો કરી પણ એમના વિરોધાભાસનો શું જવાબ? સાંભળો તેમના બન્ને નિવેદનોને..


  • Published By :
  • Published Date : 2024-04-11 17:55:33

અંતરાત્મા અને રાજનેતાઓ વચ્ચે વધારે સંબંધ નથી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે રાજનેતામાં જાગેલો અંતરાત્મા ગમે ત્યારે સૂઈ જાય છે..! પક્ષની સાથે છેડો ફાડતા જ નેતાના બોલ બદલાઈ જાય છે... જે પક્ષ સાથે અનેક વર્ષો સુધી નેતાઓ જોડાયેલા હોય તે પક્ષની નીતિઓ તે જ નેતાઓ સવાલ કરતા હોય છે જ્યારે તે બીજા પક્ષમાં જોડાઈ જતા હોય છે. જેવી રીતે નેતા પાર્ટીને બદલે છે તેવી રીતે તેમના બોલ પણ બદલાઈ જાય છે... જે પક્ષનો વિરોધ નેતાઓ કરતા હોય છે તેમની જ નીતિઓ માત્ર થોડા સમયની અંદર દેખાવા લાગતી હોય છે...

રાજીનામું આપી થોડા દિવસની અંદર જોડાઈ ગયા ભાજપમાં

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. કોંગ્રેસે અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરેલા રોહન ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. ઉમેદવાર તરીકે જ્યારે તેમના નામની જાહેરાત કરવામાં આવી તે બાદ તેમણે અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી. અંગત કારણો દર્શાવી તે ચૂંટણી નહીં લડી શકે તેવું નિવેદન આપ્યું પરંતુ માત્ર થોડા દિવસોની અંદર તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.


અનેક નેતાઓના નિવેદનો હોય છે વિરોધાભાસી! 

દિલ્હી ખાતે રોહન ગુપ્તાએ કેસરિયો ધારણ કર્યો અને તે બાદ તેમણે નિવેદન આપ્યું છે. બંને નિવેદનોમાં મોટો ફેરફાર દેખાયો હતો.! બંને નિવેદનોમાં વિરોધાભાસ દેખાઈ આવ્યો હતો. કોંગ્રેસમાં દેખાતી ખામીઓ અંગે તેમણે વાત કરી હતી. કોંગ્રેસના નેતૃત્વ પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા. બીજા નિવેદનની વાત કરવી છે જે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આપ્યું હતું. પિતાની તબિયત ખરાબ હોવાને કારણે તેમણે ચૂંટણી ના લડવાનો નિર્ણય લીધો હતો. મહત્વનું છે કે આવા વિરોધાભાસી નિવેદન અનેક મંત્રીઓના નિવેદનોમાં જોવા મળતા હોય છે.. ત્યારે રોહન ગુપ્તાના નિવેદનો પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં કહો...    



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.