PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે મોટી કાર્યવાહી, પંજાબ પોલીસના 7 અધિકારીઓ સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-11-26 16:42:25

5 જાન્યુઆરી, 2022 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક સાથે સંબંધિત કેસમાં પંજાબમાં 7 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓમાં ભટિંડાના એસપી ગુરબિંદર સિંહ, ડીએસપી પરસન સિંહ, ડીએસપી જગદીશ કુમાર, ઈન્સ્પેક્ટર તેજિંદર સિંહ, ઈન્સ્પેક્ટર બલવિંદર સિંહ, ઈન્સ્પેક્ટર જતિન્દર સિંહ અને એએસઆઈ રાકેશ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના બની તે સમયે, ગુરબિન્દર સિંહ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (ઓપરેશન) તરીકે તૈનાત હતા અને ફિરોઝપુરમાં ફરજ પર હતા. ઉલ્લેખનિય છે કે પીએમ મોદી વિધાનસભા ચૂંટણી માટે એક રેલીમાં ભાગ લેવા પંજાબના ફિરોજપુર  જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. 


સુપ્રીમ કોર્ટે નીમી હતી તપાસ સમિતિ


PM મોદીની સુરક્ષામાં ખામીની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી સમિતિએ અગાઉ રાજ્યના અનેક અધિકારીઓને આ ચૂક માટે જવાબદાર ઠેરવ્યા હતા. બાદમાં ગયા વર્ષે 12 જાન્યુઆરીના રોજ, સર્વોચ્ચ અદાલતે, સુરક્ષામાં ખામીની તપાસ માટે એક સમિતિની નિમણૂક કરતી વખતે કહ્યું હતું કે ઘટનાથી ઉદ્ભવતા પ્રશ્નોને 'એકતરફી તપાસ' માટે છોડી શકાય નહીં.


 18 ઓક્ટોબર 2023ના રોજ સોંપાઈ હતી રિપોર્ટ 


સસ્પેન્શન ઓર્ડર મુજબ, 18 ઓક્ટોબર, 2023 ના રોજ, પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દ્વારા આ ઘટના અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના પોલીસ વડાએ કહ્યું હતું કે સિંહે તેમની ફરજ યોગ્ય રીતે નિભાવી નથી. પંજાબી ભાષામાં જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સક્ષમ અધિકારીના સ્તરે મામલાને ધ્યાનમાં લીધા પછી, સંબંધિત અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


PM મોદીના કાફલાની કરાઈ હતી નાકાબંધી 

 

PM મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો દ્વારા કરાયેલી નાકાબંધીને કારણે વડાપ્રધાનનો કાફલો લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયેલો રહ્યો હતો. ભાજપના નેતાઓએ આ ક્ષતિને લઈને તત્કાલીન ચરણજીત સિંહ ચન્ની સરકાર પર નિશાન સાધ્યું હતું. તે જ સમયે, કોંગ્રેસે કહ્યું હતું કે વડાપ્રધાનની યાત્રાની યોજના છેલ્લી ઘડીએ બદલવામાં આવી હતી. સુરક્ષા ભંગની તપાસ કરતી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી સમિતિએ સુરક્ષા ભંગ માટે પંજાબ સરકારના અનેક અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની સરકારે હવે આ ક્ષતિ માટે સાત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.