વડાપ્રધાન મોદી બાદ યોગી આદિત્યનાથને મળી જાનથી મારી નાખવાની ધમકી! ધમકી આપનારે કહ્યું જલ્દી સીએમ યોગીને મારી નાખીશ!


  • Published By :
  • Published Date : 2023-04-25 13:39:00

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ 112 નંબર પર મેસેજ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ હતી. ધમકી મળ્યા બાદ પોલીસે અજ્ઞાત વ્યક્તિ સામે કેસ દાખલ કરી લીધો છે. ધમકી આપનાર વ્યક્તિએ જણાવ્યું કે હું જલ્દી જ સીએમ યોગી આદિત્યનાથને મારી દઈશ. ધમકી મળ્યા બાદ 112ના ઓપરેશન કમાંડરે આ મામલે કેસ દાખલ કરાવ્યો હતો.

    

પીએમ મોદીને પણ મળી હતી જાનથી મારી નાખવાની ધમકી!

રાજનેતાઓને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકી મળતી હોય છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. કોચિની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આત્મઘાતી બોમ્બ વડે મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારે હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જે બાદ તંત્ર સતર્ક થઈ ગઈ છે. 


આ મામલે કેસ કરાયો દાખલ!

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા ફેસબૂક પર પણ તેમને જાનથી મારવાની ધમકી મળી હતી. ત્યારે ફરી એક વાર 23 એપ્રિલે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મળતી માહિતી અનુસાર યોગી આદિત્યનાથને રવિવારે સાંજે શહીદ પથ સ્થિત યુપી 112ના મુખ્યાલય પર જાનથી મારવાનો મેસેજ આવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ સતર્ક થઈ છે. ધમકી આપતા વ્યક્તિએ કહ્યું હતું કે હું જલ્દી સીએમ યોગીને મારી નાખીશ. આ મામલે ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે જે મોબાઈલ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી તેના આધારે રિપોર્ટ દાખલ કરીને આરોપીને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.  



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.