Rajasthan Paper Leak મામલે PM Modiના નિવેદન બાદ Gujaratના નેતાઓએ ભાજપ સરકારને ઘેરી, કહ્યું - ગુજરાતમાં પેપરલીકમાં ભાજપ નેતાઓ જ હોય છે


  • Published By :
  • Published Date : 2023-09-28 16:16:06

રાજ્ય હોય કે દેશ હોય શિક્ષણ વ્યવસ્થા દિવસેને દિવસે કથળતી જઈ રહી છે. ગુજરાતમાં તો શિક્ષણની પરિસ્થિતિ શું છે તે આપણે જાણીએ છીએ. અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો નથી. અનેક શાળાઓ એવી છે જ્યાં બાળકો ભણવા માટે આવતા નથી. અનેક શાળાની બિલ્ડીંગ એવી છે જે જર્જરિત હાલતમાં જોવા મળે છે.

Fear of another paper leak in Rajasthan, answer sheet viral in So.media  before exam | Sandesh


પેપર લીક મામલે પીએમએ રાજસ્થાન સરકારને ઘેરી હતી 

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી આવનાર સમયમાં યોજાવાની છે. જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે થોડા દિવસો પહેલા પીએમ મોદી રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. જનસભાને સંબોધિત કરતા તેમણે રાજસ્થાનની સરકાર એટલે કે કોંગ્રેસની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પેપર લીકને લઈ તેમણે સરકારને ઘેરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનની સરકારે પેપર લીક માફિયાને સંરક્ષણ આપ્યું છે. આ ઘટના સમગ્ર રાજ્યને શર્મસાર કરી દે તેવી છે. તેમણે કહ્યું કે જો રાજસ્થાનમાં બીજેપીની સરકાર બનશે તો આ પેપર માફિયા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.


ગુજરાતમાં ‘વ્યાપક’ ભરતી કૌભાંડ થાય છે - શક્તિસિંહ ગોહિલ

પીએમ મોદીના નિવેદન પર અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મામલે જવાબ આપ્યો છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે "ગુજરાતમાં ‘વ્યાપક’ ભરતી કૌભાંડ થાય ત્યારે બીજા પર પથ્થર ફેંકતાં પહેલાં એમણે પોતાની સ્થિતિ જોવી જોઈએ. ગુજરાતમાં પેપરલીકમાં ભાજપ નેતાઓ જ હોય છે એ સાબિત થયું. વડાપ્રધાનશ્રીએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં પેપર લીક કરનાર માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તેમ કહેવું જોઈએ."


દિવાળીમાં જેટલા ફટાકડા નથી ફૂટતા એટલા ગુજરાતમાં પેપર ફૂટે છે - યુવરાજસિંહ

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ પેપરલીક મામલે પીએમ મોદી દ્વારા આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે " ગુજરાતમાં પણ પેપરલિકના માફિયાને સંરક્ષણ આપનાર આપના નામે ચરી ખાતા નેતાઓ જ છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કેમ પેપરલિકના કૌભાંડી ઉપર કાર્યવાહી નથી કરતી અને રાજસ્થાનમાં કાર્યવાહી કરવાની વાતો કરે છે ??ગુજરાતમાં કેમ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આવી જાય છે બીજેપીના નેતાઓ ?? પીપરલીકની ઘટનામાં પૂરા ભારતમાં ગુજરાત અગ્રેસર છે, દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા એના કરતાં તો ગુજરાતમાં પેપર ફૂટે છે, તો અહીંયા કેમ BJP મૌન સેવી લે છે ?



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!