માતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ વડાપ્રધાન મોદીએ બંગાળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી


  • Published By :
  • Published Date : 2022-12-30 14:43:13

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું સવારે નિધન થયું હતું. માતાનું અવસાન થતા તેઓ ગુજરાત આવી પહોંચ્યા હતા. માતાના અંતિમસંસ્કાર કર્યા બાદ તેઓ પોતાના કાર્યો પર લાગી ગયા હતા. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પશ્ચિમ બંગાળને 7800 કરોડની ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. મમતા બેનર્જીએ પણ  હીરાબાના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

 

મમતા બેનર્જીએ કાર્યક્રમને ટૂંકાવવા અપીલ કરી 

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલ પીએમ મોદીએ 7800 કરોડના વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. જે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી જે ટ્રેન હાવડા ન્યૂ જલપાઈગુડી રૂટ પર દોડશે.મમતા બેનર્જીએ પીએમ મોદીને કાર્યક્રમને ટુંકાવવાની અપીલ કરી હતી.



ભગવાન પીએમ મોદીને દુખ સહન કરવાની શક્તિ આપે  

મમતા બેનર્જીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી આજનો દિવસ તમારા માટે ખૂબ જ દુખદ દિવસ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુખ સહન કરવાની શક્તિ આપે. વધુમાં તેમણે કહ્યું કે હું તમને અપીલ કરીશ કે આ કાર્યક્રમ ટૂંકો રાખો કારણ કે તમે હમણાં જ તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો.  


અંગત કારણોસર અહીં આવી શક્યો નહીં - પીએમ મોદી 

પીએમ મોદીએ કહ્યું કે આજે માટે તમારા બધાની વચ્ચે આવવું હતું. હું અંગત કારણોસર અહીં આવી શક્યો નથી, હું આ માટે માફી માંગુ છું. આજે મને બંગાળની પવિત્ર ભૂમિને નમન કરવાનો મોતો મળ્યો છે. બંગાળના દરેક કણને આઝાદીનો ઈતિહાસ તેમાં જોડાયેલો છે. જે ભૂમિ પરથી વંદે માતરમનો નારા લગાવવામાં આવ્યો હતો ત્યાંથી વંદે ભારતને લીલી ઝંડી બતાવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.