નકુલ મહેતા બાદ દિશા પરમાર પણ બડે અચ્છે લગતે હેં શોને કહેશે અલવિદા


  • Published By :
  • Published Date : 2023-01-02 15:46:05

દર્શકોને સોની ટીવી પર આવતો શો 'બડે અચ્છે લગતે હેં 2' ખૂબ પસંદ આવી રહ્યો છે. રામ અને પ્રિયાની જોડી લોકોને જોવી ગમી રહી છે. પહેલા પાર્ટની જેમ આ પાર્ટને પણ લોકોનો પ્રેમ મળી રહ્યો છે. પરંતુ આ સેટ પરથી દર્શકોને નિરાશ કરે તેવા સમાચાર આવ્યા છે. રામનો કિરદાર નિભાવતા નકૂલ મહેતાએ તો શો છોડવાની જાહેરાત કરી દીધી છે ત્યારે પ્રિયાની ભૂમિકા ભજવનાર દિશા પરમારે પણ શો છોડવાની જાહેરાત કરી દીધી છે.  


Watch Bade Achhe Lagte Hain Full Epsiodes Online - Sony LIV


દિશા પરમાર ટૂંક સમયમાં શોને કહેશે ટાટા-બાય બાય

બડે અચ્છે લગતે હેંમાં સાક્ષી તનવર અને રામ કપૂરની જોડીને દર્શકો તરફથી જે પ્રેમ મળ્યો હતો તેવો જ પ્રેમ નકૂલ મહેતા અને દિશા પરમારની જોડીને મળી રહ્યો છે. સોની ટીવી પર બડે અચ્છે લગતે હેં 2માં બંને મુખ્યભૂમિકા નિભાવી રહ્યા છે. લોકો આ જોડીને જોવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે નકુલ મહેતાએ આ શોને છોડવાની જાહેરાત કરી દીધી છે ત્યારે દિશા પરમાર પણ આ શોમાં નહીં જોવા મળે. દિશા પરમાર પણ શોને અલવિદા કહી રહી છે. 


આ કારણોસર લીધો આ નિર્ણય 

કયા કારણોસર દિશા શો છોડી રહી છે તેનો જવાબ તેમણે એક ઈન્ટરવ્યુમાં આપ્યો હતો. તેમણે કીધું કે તે ઘણા સમયથી આ શો છોડવા માગતી હતી, કારણ કે તેને પાંચ વર્ષની પુત્રીની માતાનો રોલ નથી નિભાવવો. થોડા સમય સુધી તેમણે પોતાનો નિર્ણય ટાળ્યો પરંતુ હવે તે શોને છોડી રહી છે.                    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે